વલસાડના આસારામજી આશ્રમમાં શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તિમય માહોલ
વલસાડના આસારામજી આશ્રમમાં શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તિમય માહોલ
Published on: 07th September, 2026

વલસાડના સંત શ્રી આસારામજી આશ્રમમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ છવાયો હતો. મોટી સંખ્યામાં ભક્તો આશ્રમમાં હાજર રહ્યા હતા અને ધ્યાન, ભજન તથા સત્સંગમાં તલ્લીન થઈ આધ્યાત્મિક લાભ લીધો હતો. પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુના શિષ્ય પૂજ્ય શ્રી રામાભાઈના સાનિધ્યમાં ગીતા-ભાગવત સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. આ સત્સંગ દરમિયાન ભક્તોએ ભક્તિ અને જ્ઞાનનો લાભ લીધો હતો. શ્રાવણના અંતિમ સોમવારે યોજાયેલા આ કાર્યક્રમથી આશ્રમ પરિસર ભજન-કીર્તન અને ભક્તિના રંગે રંગાયું હતું.