મંદિરમાં ઘંટડી કેમ વગાડવામાં આવે છે ?
મંદિરમાં ઘંટડી કેમ વગાડવામાં આવે છે ?
Published on: 10th July, 2026

ભારતીય હિન્દુ મંદિરોના પ્રવેશદ્વાર પર લાગેલ ઘંટડી વગાડવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ માત્ર ધાર્મિક રીત-રિવાજ નથી, પરંતુ તે ભગવાન સમક્ષ હાજરી નોંધાવવાનું, શુભ શરૂઆતનું પ્રતીક છે. સનાતન ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે, જે ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે જોડાયેલું છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવી માન્યતા વ્યક્ત કરવામાં આવે છે કે ઘંટડી વગાડવાથી ઉત્પન્ન થતો ધ્વનિ થોડા સમય સુધી વાતાવરણમાં ગુંજતો રહે છે. કેટલાક લોકોનું માનવું છે કે આ અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મનની એકાગ્રતા વધે છે અને મન ભટકવાને બદલે શાંત થઈ શકે છે. પરિણામે વ્યક્તિ થોડા સમય માટે માનસિક શાંતિનો અનુભવ કરી શકે છે.