Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ!
nstagramએ કન્ટેન્ટ એગ્રીગેટર્સ એટલે કે એવા એકાઉન્ટ્સ જે વારંવાર પોતે બનાવેલા વગરનું કન્ટેન્ટ રીપોસ્ટ કરે છે અથવા મુખ્યત્વે અન્ય લોકોનું કામ ફોટો અને કેરોસેલ રૂપે શેર કરે છે એ યુઝર્સ માટે મોટો પોલિસી બદલાવ જાહેર કર્યો છે. Metaની માલિકી હેઠળના આ પ્લેટફોર્મે જણાવ્યું છે કે આવા એકાઉન્ટ્સ હવે એપમાં રેકમેન્ડેશન માટે પાત્ર રહેશે નહીં. Instagramએ સ્પષ્ટ કર્યું છે કે ઓછા પ્રયત્નથી કરેલા ફેરફારો જેમ કે વોટરમાર્ક ઉમેરવું અથવા વીડિયોની સ્પીડ બદલવી એને મૂળ કન્ટેન્ટ તરીકે ગણાશે નહીં. એ જ રીતે અન્ય વ્યક્તિના પોસ્ટનો સ્ક્રીનશોટ લઈને તેનો યુઝરનેમ દેખાડીને પોસ્ટ કરવાથી પણ તે મૂળ ગણાશે નહીં.
Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ!
સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ
પરિવહન અને ટેકનોલોજી ક્ષેત્રે સુરત શહેરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનો સૌપ્રથમ બહુપ્રતિક્ષિત 'બેરિયરલેસ' ટોલ પ્લાઝા આજથી એટલે કે પહેલી મેથી સુરતમાં કાર્યરત થઈ ગયો છે. આ નવી ટેકનોલોજીના અમલીકરણ સાથે હવે વાહનચાલકોએ ટોલ ટેક્સ ભરવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર પડશે નહીં. સુરત અને ભરૂચ વચ્ચે આવેલા મુંબઈ-દિલ્હી હાઈવે (NH48) પર છેલ્લા બે મહિનાથી આ આધુનિક સિસ્ટમનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. NHAI દ્વારા ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરાયેલ ટેસ્ટિંગ સફળ રહેતા હવે સુરતના કામરેજ પાસે આ સુવિધાને આખરી ઓપ આપીને શરૂ કરી દેવામાં આવી છે.
સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ
મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
જો તમારા મોબાઈલ ફોનમાં અચાનક જોરદાર સાયરન જેવો અવાજ આવે અને સ્ક્રીન પર NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) નો કોઈ મેસેજ દેખાય, તો ગભરાવાની જરૂર નથી. ભારત સરકાર દેશમાં એક નવું ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમ એટલે કે 'સેલ બ્રોડકાસ્ટ એલર્ટ' (Cell Broadcast Alert) ટેસ્ટ કરી રહી છે. 2 મે, 2026 ના રોજ તમારા વિસ્તારમાં આ ટેસ્ટિંગ કરવામાં આવશે. મેસેજમાં સ્પષ્ટ લખ્યું હશે કે: NDMA તમારા વિસ્તારમાં સેલ બ્રોડકાસ્ટ એલર્ટનું પરીક્ષણ કરશે. આ મેસેજ મળવા પર તમારે કોઈ પગલાં લેવાની જરૂર નથી. કૃપા કરીને ગભરાશો નહીં.
મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
અટારી બોર્ડર સેરેમનીનો સમય બદલાયો, 6 થી 6:30 સુધી થશે.
અમૃતસર સ્થિત અટારી બોર્ડર પર પ્રસિદ્ધ રિટ્રીટ સેરેમનીનો સમય બદલાયો છે. હવે તે સાંજે 6 થી 6:30 વાગ્યા સુધી ચાલશે. હવામાન અને પ્રકાશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. દર્શકોને સારો અનુભવ અને સુરક્ષા માટે આ ફેરફાર જરૂરી હતો. દેશભક્તિથી ભરપૂર આ સેરેમની જોવા હજારો લોકો આવે છે. આ નવો સમય 1 મેથી લાગુ કરાયો છે.
અટારી બોર્ડર સેરેમનીનો સમય બદલાયો, 6 થી 6:30 સુધી થશે.
મદુરાઈમાં ભવ્ય કલ્લાઝાગર ઉત્સવ.
મદુરાઈ શહેર વૈગાઈ નદીના કિનારે ભવ્ય કલ્લાઝાગર ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે. હજારો ભક્તો ભગવાન કલ્લાઝાગરના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા એકત્રિત થયા છે. આ ઉત્સવ ધાર્મિક ઉત્સાહ અને સાંસ્કૃતિક પરંપરાઓનું અનોખું મિશ્રણ દર્શાવે છે. પરંપરા મુજબ દેવતાનો વૈગાઈ નદીમાં આગમન શુભ સંકેત માનવામાં આવે છે. ઉત્સવ દરમિયાન શહેરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ છવાઈ ગયો હતો. ભગવાન કલ્લાઝાગરના દર્શનથી ભક્તોમાં આનંદ અને ભક્તિનો માહોલ સર્જાયો.
મદુરાઈમાં ભવ્ય કલ્લાઝાગર ઉત્સવ.
ચોરાડ આહિર સમાજની 1600 વર્ષ જૂની પરંપરા જળવાઈ, 500 યુગલોના લગ્ન.
કચ્છના ચોરાડ પંથકમાં 1600 વર્ષ જૂની પરંપરા મુજબ, 500થી વધુ આહિર યુગલોએ ઢોલ-શરણાઈના સૂર વચ્ચે બળદગાડામાં જાન અને રાત્રે ફેરા સાથે લગ્ન કર્યા. આ લગ્નોમાં પૌરાણિક પહેરવેશ અને સાદગી જાળવવામાં આવી છે, જે સમાજની એકતા અને સંસ્કૃતિ પ્રત્યેના ગૌરવને દર્શાવે છે.
ચોરાડ આહિર સમાજની 1600 વર્ષ જૂની પરંપરા જળવાઈ, 500 યુગલોના લગ્ન.
Amazon AI અસર: 30,000 છટણી બાદ 11,000ની ભરતી.
એમેઝોને છેલ્લા એક વર્ષમાં લગભગ 30,000 નોકરીઓમાં ઘટાડો કર્યો હતો. હવે, કંપની આશરે 11,000 નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. આ બદલાવનું મુખ્ય કારણ AI છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ બે તબક્કામાં કર્મચારીઓ ઘટાડયા હતા. ૨૦૨૫ના અંતમાં લગભગ 14,000 અને જાન્યુઆરી 2026 માં આશરે 16,000 નોકરીઓ ઘટાડી હતી.
Amazon AI અસર: 30,000 છટણી બાદ 11,000ની ભરતી.
એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલમાં શું તફાવત?
એક્ઝિટ પોલ એ મતદાન બાદ મતદારોના પ્રતિભાવો પર આધારિત એક સર્વે છે, જે વિવિધ એજન્સીઓ દ્વારા હાથ ધરાય છે. સંપૂર્ણ મતદાન પૂર્ણ થયા બાદ જ તેના આંકડા જાહેર કરી શકાય છે. જોકે, મર્યાદિત સેમ્પલ સાઈઝને કારણે તે હંમેશા સચોટ હોતા નથી. બીજી તરફ, ઓપિનિયન પોલ ચૂંટણી પહેલા લોકોની નાડ પારખવા અને લોકપ્રિયતા જાણવા માટે કરવામાં આવે છે. આ સર્વેક્ષણો દ્વારા લોકોની નારાજગી, સંતોષ અને મુખ્ય મુદ્દાઓ વિશે જાણી શકાય છે, જે ચૂંટણીના સંભવિત પરિણામોનો અંદાજ આપે છે.
એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલમાં શું તફાવત?
વાહનોમાં ૧૦૦% ઈથેનોલ બ્લેંડિંગ: સરકારની મોટી તૈયારી.
સરકાર ૧૦૦ ટકા ઈથેનોલ બ્લેંડિંગ કરવાની યોજના બનાવી રહી છે. હાલ ૨૦ ટકા બ્લેંડિંગથી ૧૦૦૦ લિટર ક્રૂડની બચત થાય છે. આથી ૧૦૦ ટકા બ્લેંડિંગથી મોટો ફાયદો થશે. પેટ્રોલની ઓળખ E10/E થી E10/E20 થશે, E85 અને E100 પણ સામેલ થશે. બાયોડીઝલ B10 થી B100 થશે. આ એનર્જી સેક્ટરમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે.
વાહનોમાં ૧૦૦% ઈથેનોલ બ્લેંડિંગ: સરકારની મોટી તૈયારી.
મેમરી ચીપ્સની અછત: ઈલેકટ્રોનિક્સ ઉત્પાદન પર ૧૦-૧૫% કાપ.
મેમરી ચીપ્સની પૂરવઠા અછતને કારણે ઈલેકટ્રોનિક્સ ઉત્પાદકોએ ઉત્પાદનમાં ૧૦-૧૫% ઘટાડો કર્યો છે. ટીવી, સ્માર્ટફોન્સ, સર્વર્સ, સેટ ટોપ બોકસના ઉત્પાદન પર અસર થઈ છે. આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (AI) માટે ચીપ્સની વધેલી માગને કારણે અછત ઊભી થઈ છે, અને વૈશ્વિક ઉત્પાદકો હાઈ બેન્ડવિડથ મેમરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
મેમરી ચીપ્સની અછત: ઈલેકટ્રોનિક્સ ઉત્પાદન પર ૧૦-૧૫% કાપ.
AI બિઝનેસ ડેટિંગ પ્લેટફોર્મ ‘ડેટા સેતુ’ લોન્ચ: ટેક અને બિઝનેસ વચ્ચે સેતુ.
AI આધારિત ‘ડેટા સેતુ’ બિઝનેસ નેટવર્કિંગમાં ક્રાંતિ લાવશે. આ પ્લેટફોર્મ વ્યાવસાયિકો, ઉદ્યોગસાહસિકો અને સંસ્થાઓને યોગ્ય તક અને સચોટ જોડાણ પૂરૂં પાડશે. રૂપેશ શાહ અને હરદેવ વ્યાસ દ્વારા નિર્મિત, તે ટેકનોલોજી અને વાસ્તવિક બિઝનેસ જરૂરિયાતો વચ્ચેનો ગેપ દૂર કરશે. ‘બિઝનેસ ડેટિંગ પ્લેટફોર્મ’ તરીકે, તે AI અને ડેટા ઇન્સાઇટ્સ દ્વારા ઝડપી, અસરકારક અને પરિણામદાયક જોડાણો બનાવવામાં મદદ કરશે.
AI બિઝનેસ ડેટિંગ પ્લેટફોર્મ ‘ડેટા સેતુ’ લોન્ચ: ટેક અને બિઝનેસ વચ્ચે સેતુ.
દર્શકોના મગજ વાંચીને બનશે ફિલ્મો, સિનેમા લેબમાં અનોખું સંશોધન
બ્રિસ્ટલ યુનિવર્સિટીની સિનેમા લેબમાં દર્શકોની શારીરિક પ્રતિક્રિયાઓ, આંખ પટપટાવવાની ગતિવિધિ અને હૃદયના ધબકારા રેકોર્ડ કરાય છે. આ ડેટાના આધારે, સંશોધકો ભવિષ્યમાં વધુ આકર્ષક અને સાર્થક ફિલ્મો બનાવવા માટે મદદરૂપ થશે. આ ટેકનિક OTT, ગેમિંગ અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં પણ બદલાવ લાવી શકે છે.
દર્શકોના મગજ વાંચીને બનશે ફિલ્મો, સિનેમા લેબમાં અનોખું સંશોધન
AI ટેકનોલોજી કરતાં માણસ પાસે કામ કરાવવું સસ્તું.
ટેકનોલોજીની ટોચની કંપની એનવીડિયાએ કહ્યું હતું કે AIથી અનેક નોકરીઓનો ભોગ લેવાશે તેવી દહેશત ભલે હોય, પરંતુ હકીકત એ છે કે કંપનીઓને AI ટેકનોલોજી કરતાં માણસ પાસે કામ કરાવવાનું જ સસ્તું પડે છે. AI ટેકનોલોજી અત્યારે એટલી મોંઘી છે કે એ ચલાવવા કરતાં કર્મચારીઓને પગાર આપવાનું વધારે ફાયદાનો સોદો છે. AI ટેકનોલોજીમાં રોકાણ વધ્યું છે, પરંતુ તેના પર હજુ કંપનીઓને ભરોસો બેસતો નથી.
AI ટેકનોલોજી કરતાં માણસ પાસે કામ કરાવવું સસ્તું.
Apple iOS 27 અપડેટમાં મોટો બદલાવ: Siri હવે iPhone કેમેરામાં, Google Lensને ટક્કર
Apple આવનારા iOS 27 અપડેટમાં તેના Camera એપ માટે ખાસ Siri Mode પર કામ કરી રહ્યું છે. આ મોડ જ્યારે ચાલુ હશે ત્યારે Camera એપમાં shutter બટન પર Apple Intelligenceનું લોગો દેખાશે. તેના દ્વારા યુઝરને જાણ થશે કે Siri કામ કરી રહ્યું છે. Siri Mode સાથે જોડાતા Visual Intelligenceમાં કેટલાક નવા ફીચર્સ પણ ઉમેરાશે. તેમાં ફૂડના એટલે કે nutrition labels સ્કેન કરીને ડાયેટ સંબંધિત માહિતી સંગ્રહ કરવાની સુવિધા પણ હશે. iOS 27 સાથે આ સુવિધા વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે કારણ કે તેનો સમાવેશ મુખ્ય Camera ઈન્ટરફેસમાં જ કરવામાં આવશે.
Apple iOS 27 અપડેટમાં મોટો બદલાવ: Siri હવે iPhone કેમેરામાં, Google Lensને ટક્કર
એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
ચીનમાં ૪૦ વર્ષીય પુરુષનું હૃદય અચાનક બંધ થઈ જતાં ડૉક્ટરોએ અત્યાધુનિક 'એક્મો' (ECMO) મશીન દ્વારા તેને નવજીવન આપ્યું છે. ઇલેક્ટ્રિક આંચકા છતાં હૃદય શરૂ ન થતા, આ મશીને શરીરની બહાર રહીને કૃત્રિમ હૃદય અને ફેફસાંની જેમ કાર્ય કર્યું હતું. તે દર્દીના લોહીમાં ઓક્સિજન ભેળવીને લોહી પમ્પ કરતું રહ્યું, જેનાથી લોહીનું પરિભ્રમણ જળવાઈ રહ્યું હતું. આ સફળ તબીબી પ્રક્રિયાએ સાબિત કર્યું કે આધુનિક ટેકનોલોજી હૃદય બેસી જવાના ગંભીર કિસ્સાઓમાં પણ જીવ બચાવવા માટે અત્યંત કારગત નીવડી શકે છે.
એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી
ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે એનઆરઆઈ પતિને પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાની મંજૂરી આપી હતી. ફેમિલી કોર્ટ દ્વારા એનઆરઆઈ પતિની ફિઝિકલ હાજરીના આગ્રહને વધુ પડતો ટેકનિકલ અભિગમ ગણાવી હાઈકોર્ટે જણાવ્યું કે, ટેકનોલોજી ખરેખર ન્યાયમાં મદદ કરે છે, તેને અવરોધે નહીં. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી વિદેશમાં રહેતા પક્ષકારો બિનજરૂરી મુશ્કેલીઓથી બચી શકશે. તેમજ વૈવાહિક તકરારના કેસોમાં ડિજિટલ વિકલ્પ અપનાવી વર્ચ્યુઅલ હાજરી મારફતે છૂટાછેડાની પ્રક્રિયા સરળ બનશે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી
પાટણ સાયન્સ સેન્ટરમાં ફ્લાઈટ સિમ્યુલેટર: ચંદ્ર-મંગળની રોમાંચક સફર!
પાટણ રીજિયોનલ સાયન્સ સેન્ટરમાં હવે ફ્લાઈટ સિમ્યુલેટર દ્વારા ચંદ્ર અને મંગળની રોમાંચક સફરનો અનુભવ મળશે. અદ્યતન ટેકનોલોજી, 3D પ્રોજેક્શન અને સીટીંગ એરેન્જમેન્ટ સાથે, મુલાકાતીઓ અવકાશયાત્રી બનવાનો જીવંત અનુભવ મેળવશે. 1 મે થી શરૂ થનાર આ નવું આકર્ષણ સૌને વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ પ્રેરશે.
પાટણ સાયન્સ સેન્ટરમાં ફ્લાઈટ સિમ્યુલેટર: ચંદ્ર-મંગળની રોમાંચક સફર!
અમેરિકામાં મહાકુંભ ના ફોટો પ્રદર્શનનો અદ્ભુત અનુભવ.
ઓસ્ટ્રેલિયા ટેક કંપનીઓ પર પત્રકારત્વ ભંડોળ માટે ટેક્સ લાદશે.
ઓસ્ટ્રેલિયાની સરકારે એવો પ્રસ્તાવ રજૂ કર્યો છે કે ડિજિટલ પ્લેટફોર્મ પોતાની આવકમાંથી અમુક હિસ્સો આપીને પત્રકારત્વમાં આર્થિક યોગદાન આપે. આ યોજનાનો હેતુ મેટા, ગૂગલ અને ટિકટોક જેવી કંપનીઓને ન્યુઝ સંગઠનો સાથે સોદા કરવા પ્રોત્સાહિત કરવાનો છે. સરકારનો જુલાઈના પ્રારંભ સુધી સુધી સંસદમાં બિલ રજૂ કરવાનો ઈરાદો છે અને તેને ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપયોગમાં લેવાતી પત્રકારત્વ સાથે સંકળાયેલ સામગ્રી માટે યોગ્ય વળતર સુનિશ્ચિત કરવા આવશ્યક પગલુ ગણાવ્યું છે.
ઓસ્ટ્રેલિયા ટેક કંપનીઓ પર પત્રકારત્વ ભંડોળ માટે ટેક્સ લાદશે.
ભક્તિ, શૃંગાર, ક્રોધ જેવા અનેક ભાવની અનુભૂતિ, નરસિંહજીની ગાથા.
ઇન્ટરનેશનલ ડાન્સ ડે નિમિત્તે, 15+ નૃત્ય સંસ્થાઓ અને સોલો પર્ફોર્મર્સ દ્વારા કમાટીબાગ એમ્ફિથિયેટરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. નરસિંહજીની ભક્તિગાથા, શૃંગાર, ક્રોધ જેવા ભાવની અનુભૂતિ કરાઇ. નૃત્ય કલા, ભાવનાઓની અભિવ્યક્તિ, સંસ્કૃતિનો ભાગ છે. શાસ્ત્રીય, લોક, આધુનિક નૃત્યના રંગો મંચ પર લાવ્યા.
ભક્તિ, શૃંગાર, ક્રોધ જેવા અનેક ભાવની અનુભૂતિ, નરસિંહજીની ગાથા.
ખાશાબા જાધવ: સાડા સાત દાયકા પછી ન્યાય?
સ્વતંત્ર ભારતને પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ અપાવનાર મહાન કુસ્તીવીર ખાશાબા જાધવને સાડા સાત દાયકા પછી પણ પદ્મ પુરસ્કાર ન મળવો એ દેશની કરુણતા છે. ૧૯૫૨ની હેલસિંકી ઓલિમ્પિકમાં આર્થિક તંગી અને રમતગમતના રાજકારણ વચ્ચે પણ તેમણે બ્રોન્ઝ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. બૉમ્બે હાઇકોર્ટે હવે કેન્દ્ર સરકારને તેમને મરણોત્તર પદ્મવિભૂષણ આપવા અંગે ૪ મે, ૨૦૨૬ સુધીમાં નિર્ણય લેવા આદેશ કર્યો છે. આઝાદીની ચળવળમાં ભાગ લેનાર અને પોલીસ અધિકારી તરીકે સેવા આપનાર આ હીરોની અવગણના હવે સમાપ્ત થવી જોઈએ.
ખાશાબા જાધવ: સાડા સાત દાયકા પછી ન્યાય?
હેરી ટ્રૂમન: સત્તા ગઈ પણ ખુમારી રહી!
અમેરિકાના ૩૩મા પ્રમુખ હેરી ટ્રૂમન એક વિરલ કર્મયોગી હતા. બીજા વિશ્વયુદ્ધ જેવી કપરી સ્થિતિમાં દેશનું નેતૃત્વ કરવા છતાં, નિવૃત્તિ સમયે તેમની લોકપ્રિયતા ન્યૂનતમ હતી અને તેમણે અત્યંત આર્થિક તંગીમાં જીવન ગુજાર્યું હતું. તેમની આ સ્થિતિ જોઈ અમેરિકન કોંગ્રેસે 'પૂર્વ પ્રમુખ કાયદો-૧૯૫૮' પસાર કર્યો. ટ્રૂમને ક્યારેય હોદ્દાનો દુરુપયોગ કે પ્રસંશાની અપેક્ષા રાખી નહીં. સમય જતાં ઇતિહાસે તેમની કદર કરી અને આજે તેઓ અમેરિકાના શ્રેષ્ઠ દસ પ્રમુખોમાં સ્થાન પામે છે, જે સાબિત કરે છે કે સાચી પ્રતિબદ્ધતા ક્યારેય એળે જતી નથી.
હેરી ટ્રૂમન: સત્તા ગઈ પણ ખુમારી રહી!
મેધાવી મેઘાણી: સાચા 'રાષ્ટ્રીય શાયર'.
ઝવેરચંદ મેઘાણીએ પોતાના સાહિત્ય દ્વારા દેશભક્તિ અને લોકસાહિત્યની અસ્મિતાને જીવંત રાખી છે. 'વિદાય' અને 'છેલ્લો કટોરો' જેવા કાવ્યોમાં તેમણે સ્વાતંત્ર્યવીરોનું શૌર્ય અને ગાંધીજીના મનોમંથનને વાચા આપી છે. સૌરાષ્ટ્રના ગામડે-ગામડે રખડીને તેમણે લોકગીતો અને વાર્તાઓનું અમૂલ્ય સંશોધન કર્યું, જેમાં તળપદી બોલીનું ખમીર ઝીલાયું છે. 'કસુંબીનો રંગ' ગીત દ્વારા બલિદાન અને સંસ્કારોનો જે રંગ તેમણે પ્રગટાવ્યો, તે આજે પણ ભારતીય સંસ્કૃતિ અને લોકહૃદયમાં સાચા 'રાષ્ટ્રીય શાયર' તરીકે ધબકી રહ્યો છે.
મેધાવી મેઘાણી: સાચા 'રાષ્ટ્રીય શાયર'.
વન્યજીવ બજાર: જ્યાં પ્રાણીઓ વેચાય છે અને સાથે બીમારીઓ ફ્રી મળે છે!
‘સાયન્સ’ જર્નલના અભ્યાસ મુજબ, વન્યજીવોનો વધતો વેપાર આગામી મહામારીનું મુખ્ય કારણ બની શકે છે. સંશોધન દર્શાવે છે કે વેપાર થતી ૪૧% પ્રજાતિઓ મનુષ્યોમાં રોગ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે, જે જોખમ બિન-વ્યાપારી પ્રાણીઓ કરતા અનેકગણું વધુ છે. ગેરકાયદેસર વેપાર અને વિદેશી પ્રાણીઓને પાળવાનો ક્રેઝ જીવલેણ વાયરસોના સંક્રમણનું જોખમ ૫૦% સુધી વધારે છે. આથી, માનવ સ્વાસ્થ્યની સુરક્ષા માટે વૈશ્વિક સ્તરે બાયો-સર્વેલન્સ મજબૂત કરી વન્યજીવોના શિકાર અને વેપાર પર કડક પ્રતિબંધ મૂકવો અનિવાર્ય છે.
વન્યજીવ બજાર: જ્યાં પ્રાણીઓ વેચાય છે અને સાથે બીમારીઓ ફ્રી મળે છે!
ગુજરાતની પ્રજાએ સવેળા રાજકીય જાગૃતિનાં દર્શન કરાવ્યાં હતાં
૧૯૦૭માં કૉંગ્રેસના ભાગલા બાદ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વેગીલી બની, જેની પ્રેરણા શ્રી અરવિંદે આપી હતી. મોહનલાલ પંડ્યા જેવા વીરોએ બોમ્બ બનાવવાની પ્રક્રિયા પુસ્તિકાઓ દ્વારા ગુપ્ત રીતે ફેલાવી અને ૧૯૦૯માં અમદાવાદમાં લોર્ડ મિન્ટો પર બોમ્બ ફેંકી અંગ્રેજ સરકારને ચોંકાવી દીધી. વિદેશમાં શ્યામજી કૃષ્ણ વર્મા, માદામ કામા અને સરદારસિંહ રાણાએ આઝાદીનો પ્રચાર કર્યો. વડોદરાના પ્રજાપ્રેમી રાજવી સયાજીરાવ ગાયકવાડે પણ અંગ્રેજોની મનમાની સામે ઝઝૂમીને રાષ્ટ્રવાદ અને લોકશાહી મૂલ્યોને મજબૂત કરી ગુજરાતમાં રાજકીય જાગૃતિ આણી હતી.
ગુજરાતની પ્રજાએ સવેળા રાજકીય જાગૃતિનાં દર્શન કરાવ્યાં હતાં
જોજો, ક્યાંક આ તેજસ્વી સુરતને ભૂલી ના જવાય...
૧ મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની સુરતમાં ઉજવણી થવાની છે, જે સુરતની વીરગાથાને યાદ કરવાનો ઉત્તમ અવસર છે. ૧૮૫૭ના વિપ્લવમાં મગદલ્લાની બહાદુર માછીમાર મહિલા જમનાની શહાદત અને કવિ હરિલાલ રાણાના લલકાર સુરતનું ખમીર દર્શાવે છે. ગાંધીજી પૂર્વે ૧૮૪૪માં મીઠાના કાયદા સામે 'સ્વરાજ'નો નાદ પણ સુરતે જ ગજવ્યો હતો. ૧૯૦૭નું કોંગ્રેસ અધિવેશન હોય કે ૧૯૩૮નું હરિપુરા અધિવેશન, સુરત હંમેશા આઝાદીની લડતનું કેન્દ્ર રહ્યું છે. આ ઐતિહાસિક સ્મૃતિઓને જાળવવી એ જ સાચો ઇતિહાસબોધ છે.
જોજો, ક્યાંક આ તેજસ્વી સુરતને ભૂલી ના જવાય...
આજ-કાલ: ચીન અને સ્વીડન સ્ક્રીનથી પુસ્તક તરફ.
વૈશ્વિક સ્તરે શિક્ષણમાં મોટા બદલાવના પવનો ફૂંકાઈ રહ્યા છે, જે ભારત માટે બોધપાઠ સમાન છે. ચીને ૬ થી ૧૫ વર્ષના બાળકો માટે શિક્ષણના વેપારીકરણ પર પ્રતિબંધ મૂકી તેને જાહેર હિત માટે અનિવાર્ય બનાવ્યું છે. બીજી તરફ, ટેક્નોલોજીના વધુ પડતા ઉપયોગથી વિદ્યાર્થીઓની સમજશક્તિ કથળતા સ્વીડન હવે ડિજિટલ શિક્ષણ છોડી ફરી પાઠ્યપુસ્તકો તરફ વળ્યું છે. માહિતીના અતિરેક વચ્ચે જ્ઞાન અને એકાગ્રતા જાળવવા માટે ડિજિટલ સાધનો અને પરંપરાગત પુસ્તકો વચ્ચે સંતુલન જાળવવું આવશ્યક છે.
આજ-કાલ: ચીન અને સ્વીડન સ્ક્રીનથી પુસ્તક તરફ.
સ્માર્ટફોન છોડો: એક મહિનો સ્માર્ટફોન વગર રહેવાની ચેલેન્જ સ્વીકારી શકો?
આજના સ્માર્ટફોન યુગમાં લોકો જ્યારે સતત સ્ક્રીન અને નોટિફિકેશનમાં ડૂબેલા રહે છે, ત્યારે અમેરિકા સહિતના વિકસિત દેશોમાં હવે ફરી 'સાદા' (ફીચર) ફોન તરફ પાછા વળવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. સ્માર્ટફોનની લત, માનસિક તણાવ અને સ્વાસ્થ્ય પર થતી નકારાત્મક અસરોથી બચવા માટે યુવાનો સ્માર્ટફોન છોડીને બેઝિક ફોન વાપરવાની ચેલેન્જ ઉપાડી રહ્યા છે. ભારતમાં હજુ સ્માર્ટફોનનું આકર્ષણ વધુ છે, પરંતુ વૈશ્વિક સ્તરે ડિજિટલ ડિટોક્સ અને એકાગ્રતા જાળવવા માટે ઓછી સુવિધાઓ અને લાંબી બેટરી લાઈફ ધરાવતા હાઈબ્રિડ ફીચર ફોનની માંગ સતત વધી રહી છે.
સ્માર્ટફોન છોડો: એક મહિનો સ્માર્ટફોન વગર રહેવાની ચેલેન્જ સ્વીકારી શકો?
અર્બન હીટ આઇલેન્ડ : ગામડાની માટીથી શહેરનો ડામર વધુ ગરમ
એપ્રિલની કાળઝાળ ગરમીમાં શહેરો 'અર્બન હીટ આઇલેન્ડ' બની ગયા છે, જ્યાં કોંક્રિટની ઇમારતો અને ડામરના રસ્તાઓ ગરમી શોષી રાત્રે પણ વાતાવરણને ગરમ રાખે છે. ગ્રામ્ય વિસ્તારોમાં માટી અને લીલોતરીને કારણે કુદરતી ઠંડક જળવાય છે, જ્યારે શહેરોમાં એસીનો વધતો વપરાશ અને વાહનોનું પ્રદૂષણ તાપમાનમાં વધારો કરે છે. આ ભયજનક સ્થિતિ નિવારવા સફેદ છત (કૂલ રૂફ), ઘટાદાર દેશી વૃક્ષોનું વાવેતર અને જળાશયોને પુનર્જીવિત કરવા જેવા પર્યાવરણલક્ષી પગલાં ભરવા અનિવાર્ય છે.
અર્બન હીટ આઇલેન્ડ : ગામડાની માટીથી શહેરનો ડામર વધુ ગરમ
ઘાતક ગ્રીષ્મના પડછાયા. .
આ વર્ષે હિમાલયનો પ્રભાવ ઘટવાને કારણે સમગ્ર ઉત્તર ભારત અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યું છે, જેના લીધે હિમસ્ખલન અને નદીઓમાં અકાળે પૂર આવવાનું જોખમ વધ્યું છે. ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો દાયકાઓથી પૃથ્વીના બગડતા વાતાવરણ અંગે ચેતવણી આપી રહ્યા છે. ક્લાયમેટ ચેન્જને કારણે ચક્રવાતી તોફાનો, અતિશય વરસાદ અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓની તીવ્રતામાં વધારો થયો છે. પ્રકૃતિનો આ બદલાતો મિજાજ માનવજાત માટે ગંભીર સંકેત છે કે પર્યાવરણનું સંતુલન જોખમાઈ રહ્યું છે, જેનું રક્ષણ કરવું હવે અનિવાર્ય બન્યું છે.