દિવ્યાંગો માટે આવી રહી છે ક્રાંતિકારી 'દિવ્ય દ્રષ્ટિ' એપ
દિવ્યાંગો માટે આવી રહી છે ક્રાંતિકારી 'દિવ્ય દ્રષ્ટિ' એપ
Published on: 29th August, 2026

વડોદરા નજીક સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસર ડો.વિશ્વાસ રાવલે પ્રજ્ઞાચક્ષુ, ઓછુ જોઈ શકતા કે મૂક-બધિર લોકો માટે 'દિવ્ય દ્રષ્ટિ' નામની એક અદ્ભુત એપ વિકસાવી છે. પાંચ વર્ષની મહેનત બાદ તૈયાર થયેલી આ એન્ડ્રોઇડ એપ ઇન્ટરનેટ વિના પણ કામ કરે છે, અને તે પણ જાહેરાતો વગર. આ એપ આસપાસની વસ્તુઓને ઓળખી, તેનું વર્ણન બોલીને આપશે. તે ૮૦ કેટેગરીની વસ્તુઓ, પ્રાણીઓ, વાહનો, અને ૨-૩ મીટર દૂરની વ્યક્તિ કે વસ્તુને ઓળખી શકે છે. ઉપરાંત, તે ચલણી નોટો, લેબલ્સ, અને વાહનો પરના લખાણ વાંચી શકે છે, અને ૧૪ ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે.