ક્રૃણાલ પંડ્યા T20I ટીમમાં સ્થાન ન મળતાં દર્દ છલકાયું
ક્રૃણાલ પંડ્યા T20I ટીમમાં સ્થાન ન મળતાં દર્દ છલકાયું
Published on: 02nd September, 2026

અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત બાદ ક્રૃણાલ પંડ્યાને સ્થાન ન મળતાં નિરાશા વ્યાપી છે. લગભગ 5 વર્ષ બાદ ટીમમાં વાપસીની આશા રાખનાર ક્રૃણાલે સોશિયલ મીડિયા પર "આશા હજુ પણ જીવંત છે" એવી પોસ્ટ શેર કરી છે. IPL 2026 માં Royal Challengers Bengaluru (RCB) માટે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, જેમાં તેણે 9 ઇનિંગ્સમાં 226 રન અને 14 વિકેટ ઝડપી હતી. જોકે, પસંદગીકારોએ તેને અફઘાનિસ્તાન શ્રેણી માટે નજરઅંદાજ કર્યો છે.