શ્રીકાંતે તિલક વર્મા પર ગુસ્સે થઈ કહ્યું - ટીમમાંથી કાઢી મૂકો!
શ્રીકાંતે તિલક વર્મા પર ગુસ્સે થઈ કહ્યું - ટીમમાંથી કાઢી મૂકો!
Published on: 10th July, 2026

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહી છે, આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 મેચોમાં ટીમે હારનો સામનો કર્યો છે. ખાસ કરીને બેટિંગ લાઇન-અપ ટીકા હેઠળ છે, જેમાં ત્રીજી T20માં ટીમ માત્ર 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ કારમી હાર બાદ, BCCIના પૂર્વ ચીફ સિલેક્ટર ક્રિષ્નામાચારી શ્રીકાંતે વાઇસ કેપ્ટન તિલક વર્મા પર નિશાન સાધ્યું છે. શ્રીકાંતે તિલક વર્માને શોર્ટ-પિચ બોલિંગ સામે નબળા ગણાવીને તેમને ટીમમાંથી બહાર કરવાની માંગ કરી છે. તેમણે તિલક વર્માની બેટિંગની દિશાહીનતા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, "હું સતત કહી રહ્યો છું કે તેને ટીમમાંથી ડ્રોપ કરવો જોઈએ."