13 ખેલાડીઓની ઈજા BCCI માટે ચિંતાનો વિષય!
13 ખેલાડીઓની ઈજા BCCI માટે ચિંતાનો વિષય!
Published on: 09th August, 2026

શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ મેચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે ખેલાડીઓની ઇજાઓ એક મોટી સમસ્યા બની ગઈ છે. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને કેપ્ટન શુભમન ગિલ સહિત કુલ 13 મહત્ત્વના ખેલાડીઓ ઇજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ટીમ ઇન્ડિયામાં 'ઇન્જરી ઇમરજન્સી' જેવો માહોલ સર્જાયો છે. BCCI ના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' (CoE) પર પણ ખેલાડીઓના રિહેબ અને રિકવરી માટે કામનું ભારણ વધી ગયું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં ટકી રહેવા માટે ટીમે આગામી 7 ટેસ્ટ જીતવી અનિવાર્ય છે.