શિખર ધવન: "ટીમ ઇન્ડિયા સિલેક્શનમાં ભેદભાવ નથી, નસીબનો સાથ જરૂરી"
શિખર ધવન: "ટીમ ઇન્ડિયા સિલેક્શનમાં ભેદભાવ નથી, નસીબનો સાથ જરૂરી"
Published on: 07th September, 2026

ટીમ ઇન્ડિયામાં સિલેક્શન વખતે પ્રાદેશિક ભેદભાવ થતો હોવાની વાતને પૂર્વ ઓપનર શિખર ધવને સંપૂર્ણપણે નકારી કાઢી છે. શ્રીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે જો ખેલાડી સારું પ્રદર્શન કરે તો તેમને કોઈ પણ અવગણી શકે નહીં. જોકે, ધવને સ્વીકાર્યું કે સિલેક્શન પ્રક્રિયામાં ક્યારેક નસીબ પણ ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે આ માત્ર જમ્મુ-કાશ્મીર પૂરતું સીમિત નથી, પણ ભારતીય ક્રિકેટમાં સ્પર્ધા ઘણી આકરી છે.