એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ!
એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ!
Published on: 19th May, 2026

મહેન્દ્ર સિંહના IPL ભવિષ્યને લઈને ફરી ચર્ચા તેજ બની છે. ઈજાના કારણે ધોની આ સીઝનમાં એક પણ મેચ રમી શક્યા નથી અને ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી મેચમાં પણ તેઓ મેદાનમાં ઉતર્યા નહોતા. તેમના નજીકના મિત્ર સુરેશ રૈનાએ ખુલાસો કર્યો કે ધોનીએ પોતાનું શરીર હવે નબળું પડી ગયું હોવાનું જણાવ્યું છે. જોકે, રૈનાએ આગામી સીઝનમાં વાપસી માટે દબાણ કરતાં ધોનીએ “મને જોવા દો” એવો જવાબ આપ્યો હતો. આથી ફેન્સમાં હજુ પણ આશા જીવંત છે કે ‘થાલા’ ફરી મેદાનમાં જોવા મળી શકે.