કચ્છમાં મેઘરાજાની મહેર નથી, વેગીલા વાયરા અને ધુળના સામ્રાજ્યથી જનજીવન પર અસર
કચ્છમાં મેઘરાજાની મહેર નથી, વેગીલા વાયરા અને ધુળના સામ્રાજ્યથી જનજીવન પર અસર
Published on: 11th July, 2026

અધિક જેઠ બાદ પણ વરસાદ ન વરસતા અષાઢ માસ શરૂ થવા છતાં કચ્છભરમાં વેગીલા વાયરા અને ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પ્રતિ કલાક 25 કિલોમીટરની ગતિએ ફૂંકાતા પવનથી વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. વીજ વિક્ષેપની ફરિયાદો વધી છે. ખેડૂતો અને માલધારીઓ ચિંતિત છે. રાજ્યમાં અત્યાર સુધી કચ્છમાં માત્ર 1.92% વરસાદ થયો છે, જે નગણ્ય છે. આગામી સપ્તાહ સુધી વરસાદની શક્યતા નથી.