સુનોખ પંથકમાં વાદળછાયા વાતાવરણમાં અમી છાંટણા
સુનોખ પંથકમાં વાદળછાયા વાતાવરણમાં અમી છાંટણા
Published on: 22nd July, 2026

અરવલ્લી જિલ્લાના શામળાજીના સુનોખ પંથકમાં વાદળછાયા વાતાવરણ બાદ થયેલા અમી છાંટણાથી વધુ વરસાદની આશા જન્મી છે. આ વિસ્તારમાં વરસાદના અભાવે મકાઈ, મગફ્ળી, કપાસ જેવા પાકો સુકાઈ રહ્યા છે. સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતો ટપક અને ફુવારા પદ્ધતિથી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક ખેડૂતો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. મંગળવારે સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.