23-28 જુલાઈએ IMD નું 27 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 23 થી 28 જુલાઈ દરમિયાન દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પહાડી રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન (Landslide) અને અચાનક પૂર (Flash Flood) નો ખતરો છે, જ્યાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરાયા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના અનેક ભાગોમાં પણ મુશળધાર વરસાદની સંભાવના છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી-NCR, અને પૂર્વોત્તર રાજ્યો સહિત અન્યત્ર પણ વરસાદી માહોલ રહેશે.
23-28 જુલાઈએ IMD નું 27 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
CJP પ્રતિનિધિમંડળ સાથેની વાતચીત પર જે.પી. નડ્ડાએ કરી સ્પષ્ટતા
કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ CJP પ્રતિનિધિમંડળ સાથે થયેલી વાતચીત અંગે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે, વિપક્ષ પેપર લીકના મુદ્દે રાજકારણ કરી રહ્યું છે. CJPએ તેમની માંગણીઓ જણાવી, જેના પર કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો. નડ્ડાએ રાહુલ ગાંધી પર પેપર લીક મામલે ખોટા આરોપો લગાવવાનો આરોપ લગાવ્યો. CJP સાથેની વાતચીત ખૂબ જ સારા વાતાવરણમાં થઈ, જેમાં તેમની માંગણીઓ પર વિચાર કરવાનો વિશ્વાસ અપાયો. સંસદમાં પેપર લીક પર ચર્ચા માટે સરકાર તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું.
CJP પ્રતિનિધિમંડળ સાથેની વાતચીત પર જે.પી. નડ્ડાએ કરી સ્પષ્ટતા
HPCL અને BPCL ને અબજોનું નુકસાન, પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘા થશે?
પશ્ચિમ એશિયા અને ઈરાન સંકટના કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ 50% થી વધુ વધ્યા છે. આ મોંઘવારીની સીધી અસર ભારતીય ઓઈલ કંપનીઓ HPCL અને BPCL પર પડી છે, જેને ચાલુ નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. લાંબા સમય સુધી પડતર કિંમત કરતા ઓછા ભાવે પેટ્રોલ, ડીઝલ અને LPG વેચવાના કારણે HPCL ને 12,265 કરોડ રૂપિયા અને BPCL ને 3,962 કરોડ રૂપિયાનું ચોખ્ખો નુકસાન થયું છે, જે 15 ક્વાર્ટર પછી BPCL માટે પહેલું નુકસાન છે.
HPCL અને BPCL ને અબજોનું નુકસાન, પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘા થશે?
દિલ્હીમાં NEET પરીક્ષા વિરોધ પ્રદર્શન હિંસક બન્યું, લાઠીચાર્જ અને ટીયર ગેસ
દિલ્હીના ટૉલ્સ્ટૉય માર્ગ પર NEET પરીક્ષાના વિરોધ દરમિયાન અચાનક હિંસા ફાટી નીકળી. પ્રદર્શનકારીઓએ સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો, જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા. RAF અને દિલ્હી પોલીસ ટીમો પર પથ્થરો, બોટલો અને લાકડીઓ વડે હુમલો થયો. ભીડને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના ગોળા છોડ્યા. જંતર-મંતર પર NEET પેપર લીક વિરોધ ચાલુ રહ્યો, પરંતુ ટૉલ્સ્ટૉય માર્ગ પર પથ્થરમારાનું કારણ સ્પષ્ટ નથી. હાલ સમગ્ર વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
દિલ્હીમાં NEET પરીક્ષા વિરોધ પ્રદર્શન હિંસક બન્યું, લાઠીચાર્જ અને ટીયર ગેસ
બંગાળ વિધાનસભા ગૃહમાંથી TMC ધારાસભ્યને ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા માર્શલ
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં TMC ધારાસભ્ય કુણાલ ઘોષને ગૃહમાંથી બહાર કાઢી મૂકવાનો મામલો ચર્ચામાં છે. અખરુજ્જમાં ના ભાષણ દરમિયાન, કુણાલ ઘોષ વેલમાં પહોંચી ગયા અને અવરોધ ઊભો કર્યો. ભાજપના ધારાસભ્યોએ તેમની સાથે ચર્ચા કરી, જેના પગલે સ્થિતિ વધુ વણસી. અધ્યક્ષની અપીલ છતાં, કુણાલ ઘોષે સીટ પર પાછા ફરવાનો ઇનકાર કરતાં, માર્શલોએ તેમને બળજબરીપૂર્વક બહાર કાઢી મૂક્યા. આ ઘટના રાજકીય ગરમાવા વચ્ચે બની છે, જ્યાં TMCમાં હાલ બળવાની સ્થિતિ જોવા મળી રહી છે.
બંગાળ વિધાનસભા ગૃહમાંથી TMC ધારાસભ્યને ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા માર્શલ
CJPનું ઈન્સ્ટાગ્રામ થોડા સમય માટે બંધ: અભિજીત દીપકેએ સરકાર પર લગાવ્યો આરોપ
કોકરોચ જનતા પાર્ટી (CJP)નું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ થોડા સમય માટે અચાનક સસ્પેન્ડ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જામી હતી. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પર આક્ષેપ કર્યો કે સરકારના નિર્દેશથી આ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમણે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. જોકે, થોડા જ સમયમાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફરીથી સક્રિય થઈ ગયું હતું. હાલમાં અકાઉન્ટ સામાન્ય રીતે કાર્યરત છે અને અગાઉની જેમ ઉપલબ્ધ છે.
CJPનું ઈન્સ્ટાગ્રામ થોડા સમય માટે બંધ: અભિજીત દીપકેએ સરકાર પર લગાવ્યો આરોપ
ગુજરાતના અનેક જિલ્લામાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ.
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી કરી છે. જેમાં 25-26 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતના અનેક જિલ્લામાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ.
NEET મુદ્દે 'Gen Z પ્રોટેસ્ટ' પહેલાં અમદાવાદમાં વિદ્યાર્થીઓની અટકાયત
અમદાવાદમાં NEET પેપર લીક મામલે 'Gen Z Protest' યોજાવાનો હતો, પરંતુ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી. એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે એકઠા થયેલા વિદ્યાર્થીઓને પોલીસે બસમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા. આ દરમિયાન, અભ્યાસ કરતી અને ચા પીવા આવેલી સામાન્ય યુવતીઓની પણ અટકાયત કરાઈ. નિર્દોષ નાગરિકો અને વિદ્યાર્થીઓની આડેધડ અટકાયત અંગે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શાંતિપૂર્ણ વિરોધ પહેલાં જ કાર્યવાહી અને બળપ્રયોગ વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયાસ દર્શાવે છે.
NEET મુદ્દે 'Gen Z પ્રોટેસ્ટ' પહેલાં અમદાવાદમાં વિદ્યાર્થીઓની અટકાયત
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની બેઠક: 5 સંતોને જવાબદારી
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં અનેક મોટા નિર્ણયો લેવાયા. આગામી શ્રાવણ મહિનામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા, દર્શન વ્યવસ્થા અને મંદિરના પરંપરાગત ધાર્મિક સંચાલનને લઈને ચર્ચા થઈ. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવી રાખવા માટે ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરાયું, જેમાં 5 દિગ્ગજ સંતોને જવાબદારી સોંપાઈ. SBIની કામગીરી સામે ટ્રસ્ટે નારાજગી વ્યક્ત કરી અને MOUની સમીક્ષા કરવામાં આવી. SIT રિપોર્ટની રાહ જોવાય રહી છે અને સુરક્ષાની પણ સમીક્ષા કરાઈ. નવા સચિવ અને પ્રવક્તાની નિમણૂક થશે.
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની બેઠક: 5 સંતોને જવાબદારી
વલસાડના ધરમપુરમાં માન નદીના પુલ પર કાર તણાઈ
વલસાડના ધરમપુર તાલુકામાં માન નદીના પુલ પરથી એક કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. સુરતના નિકુંજ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે ફરવા આવ્યા બાદ સુરત પરત ફરી રહ્યા હતા. પુલ પર પાણી હોવા છતાં કાર આગળ વધારતાં તે વહેણમાં આવી ગઈ. જોકે, ચાલકે સમયસૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી તરીને પોતાનો જીવ બચાવ્યો. ગ્રામજનોએ ભારે જહેમત બાદ કારને પણ નદીમાંથી બહાર કાઢી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો.
વલસાડના ધરમપુરમાં માન નદીના પુલ પર કાર તણાઈ
ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ ઈજાગ્રસ્ત, BCCI ની ફિટનેસ નીતિ પર પ્રશ્નાર્થ
BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં ખેલાડીઓની ભીડ જામેલી છે. હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, આકાશ દીપ, અને વોશિંગ્ટન સુંદર સહિત 6 થી વધુ ખેલાડીઓ ઈજા સામે ઝઝૂમી રહ્યા છે. આ ખેલાડીઓની ફિટનેસ પર ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે કેટલાક ખેલાડીઓને સંપૂર્ણ રીતે ફિટ થયા વગર જ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિ ભારતીય ક્રિકેટની ફિટનેસ નીતિ પર સવાલો ઉભા કરે છે.
ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ ઈજાગ્રસ્ત, BCCI ની ફિટનેસ નીતિ પર પ્રશ્નાર્થ
‘વિદ્યાર્થીઓને ભડકાવ્યા, સંસદમાં ચર્ચાથી ભાગ્યા’, રાજનાથ સિંહના વિપક્ષ પર પ્રહાર
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન હોબાળો અને વિદ્યાર્થી આંદોલનો વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિપક્ષ પર કડક પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રાજકીય હિત માટે તેમનો ઉપયોગ કરી રહ્યો છે. રાજનાથ સિંહે જણાવ્યું કે સરકાર દરેક મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે, છતાં વિપક્ષ ચર્ચાથી દૂર રહી રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશના યુવાનો આવા રાજકીય ષડયંત્રનો ભાગ નહીં બને.
‘વિદ્યાર્થીઓને ભડકાવ્યા, સંસદમાં ચર્ચાથી ભાગ્યા’, રાજનાથ સિંહના વિપક્ષ પર પ્રહાર
જંતર-મંતર લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ, કેન્દ્ર અને પોલીસને નોટિસ
દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કોર્ટે CCTV, બોડી કેમ ફૂટેજ અને તમામ સંબંધિત રેકોર્ડ તાત્કાલિક સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. અરજીકર્તાઓના વકીલોએ સોનમ વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓને બળજબરીથી હટાવવા અને લાઠીચાર્જને ગેરબંધારણીય ગણાવ્યો હતો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેન્દ્ર સરકારે આ અરજીઓને પબ્લિસિટી સ્ટંટ ગણાવી વિરોધ કર્યો હતો.
જંતર-મંતર લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ, કેન્દ્ર અને પોલીસને નોટિસ
સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર
સામાજિક કાર્યકર Sonam Wangchuk એ કેન્દ્રીય મંત્રી Jitendra Singh અને JP Nadda ને પત્ર લખી વિદ્યાર્થીઓની માંગણીઓ પર સંવેદનશીલ નિર્ણય લેવા અપીલ કરી છે. તેમણે શિક્ષણમંત્રીની જવાબદારીના મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની અને આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવાની રજૂઆત કરી છે. સોનમ વાંગચુકે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કોઈપણ દંડાત્મક કાર્યવાહી ન કરવા અને નોંધાયેલા કેસ પાછા ખેંચવાની માંગ કરી છે. સરકાર તરફથી માંગણીઓ પર વિચાર કરવાનો વિશ્વાસ મળ્યા બાદ, જો સરકાર આ વિશ્વાસ લેખિતમાં વ્યક્ત કરશે તો તેઓ ઉપવાસ પૂર્ણ કરશે.
સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર
ઈન્ટરનેટ વગર મેસેજ મોકલ્યા, CJPના વિરોધ પ્રદર્શનમાં ઉપયોગ થયેલ ટેકનોલોજીથી પોલીસ ચોંકી!
દિલ્હીના જંતર-મંતર પર CJP દ્વારા યોજાયેલ પ્રદર્શનમાં એક એવી ટેકનોલોજીનો ઉપયોગ થયો, જેનાથી પોલીસ પણ ચોંકી ગઈ. પ્રદર્શનકારીઓ ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગર મેસેજ મોકલવા-મેળવવા માટે એક ખાસ એપનો ઉપયોગ કરી રહ્યા હતા. આ એપ બ્લૂટૂથ બેઝ્ડ કમ્યુનિકેશનનો ઉપયોગ કરે છે, જેમાં મોબાઈલ ડેટા, વાઈફાઈ કે સેલ્યુલર નેટવર્કની જરૂર પડતી નથી. BitChat જેવી એપ્સ આ ટેકનોલોજી પર કામ કરે છે, જે વાયરલ ટેકનોલોજી 'બ્લૂટૂથ લો એનર્જી' (BLE)નો ઉપયોગ કરે છે.
ઈન્ટરનેટ વગર મેસેજ મોકલ્યા, CJPના વિરોધ પ્રદર્શનમાં ઉપયોગ થયેલ ટેકનોલોજીથી પોલીસ ચોંકી!
કાશ્મીરમાં પોલીસ પર આતંકી ગોળીબાર: એક જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ પોલીસ પાર્ટી પર અચાનક ગોળીબાર કર્યો. કોકેરનાગ રોડ પર ફરજ પર રહેલા હેડ કોન્સ્ટેબલ આશિક હુસેન કુરેશી પર આતંકીઓએ ફાયરિંગ કર્યું, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. સારવાર દરમિયાન તેમનું નિધન થતાં તેઓ શહીદ થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવાઈ છે અને આતંકીઓને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ જલ્દીથી જ દોષિતોને ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
કાશ્મીરમાં પોલીસ પર આતંકી ગોળીબાર: એક જવાન શહીદ
‘તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે’ ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રી નૈમિષા ટ્રોલ
હાલમાં દેશમાં શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા પદ્ધતિને લઈને રાજકીય અને વિદ્યાર્થી આંદોલન ચરમસીમાએ છે. આ દરમિયાન, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પુત્રી નૈમિષા પ્રધાન સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો શિકાર બન્યાં. ઉગ્ર વિરોધ અને ટ્રોલિંગને કારણે નૈમિષાએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવું પડ્યું. નૈમિષાએ અમેરિકાની ટફ્ટ્સ યુનિવર્સિટીમાંથી લોનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે, દેશની શિક્ષણ વ્યવસ્થા નબળી હોવાથી જ મંત્રીની પુત્રી વિદેશ અભ્યાસ કરવા ગયા.
‘તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે’ ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રી નૈમિષા ટ્રોલ
મહિલા સાંસદો સાથે ગેરવર્તણૂકના આરોપમાં TMC સાંસદ મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ
TMC સાંસદ કલ્યાણ બેનર્જીને ગૃહમાં મહિલા સભ્યો સાથે કથિત ગેરવર્તણૂક, દુર્વ્યવહાર અને અસંસદીય ટિપ્પણીઓના આરોપમાં ચોમાસુ સત્રના બાકીના સમયગાળા માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સંસદીય બાબતોના રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે ગૃહમાં પ્રસ્તાવ મૂક્યા બાદ અને ગૃહ દ્વારા ધ્વનિમતથી સ્વીકારવામાં આવી હતી. બેનર્જીની NCPI સાંસદો મિતાલી બાગ, શતાબ્દી રોય અને કાકોલી ઘોષ દસ્તીદાર સાથે પણ તીખી તકરાર થઈ હતી.
મહિલા સાંસદો સાથે ગેરવર્તણૂકના આરોપમાં TMC સાંસદ મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ
શરદ પવાર-સુપ્રિયા સુલેની PM મોદી સાથે મુલાકાત!
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના અધ્યક્ષ શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુલેએ સંસદ ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ અણધારી મુલાકાતને પગલે શરદ પવારનો જૂથ NDA ની નજીક જઈ રહ્યો હોવાની અટકળો ફરી તેજ થઈ છે. NEET વિવાદ અને પરિસીમન બિલ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું મનાય છે. જોકે, સુપ્રિયા સુલેએ આ અટકળોને ફગાવી દીધી છે અને જણાવ્યું છે કે આ મુલાકાત માત્ર વહીવટી કામકાજ અર્થે હતી, કોઈ રાજકીય જોડાણ માટે નહીં.
શરદ પવાર-સુપ્રિયા સુલેની PM મોદી સાથે મુલાકાત!
NEET વિરોધ: પટણા, જયપુર, ભોપાલમાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
NEET પરીક્ષા કૌભાંડો અને શિક્ષણ વ્યવસ્થા સામે દેશભરમાં ફેલાયેલું આંદોલન હવે રાજકીય વળાંક લઈ રહ્યું છે. દિલ્હીના જંતર-મંતરથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હવે અનેક રાજ્યોમાં પહોંચ્યા છે. સંસદ માર્ચ દરમિયાન થયેલા ઘર્ષણ અને રાહુલ ગાંધીની અટકાયત બાદ 'ધરણાં સામે ધરણાં'ની રાજનીતિ તેજ બની છે. પરિણામે, પટણા, જયપુર અને ભોપાલ જેવા શહેરોમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા છે, જ્યાં ભારે ઘર્ષણ અને પથ્થરમારાની ઘટનાઓ બની છે. વિપક્ષ સરકાર પર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો આરોપ લગાવી રહ્યો છે, જ્યારે સરકાર આ મુદ્દાનું રાજકારણ કરવાનો પ્રત્યાઘાત આપી રહી છે.
NEET વિરોધ: પટણા, જયપુર, ભોપાલમાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવા મુદ્દે હાઇકોર્ટ દ્વારા DCP સામે સુઓ મોટો
સુરતમાં આરોપીઓને જાહેરમાં હાથકડી પહેરાવીને માર મારવાના કથિત બનાવને પગલે ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું છે. એડવોકેટ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસને લખેલા પત્રના આધારે, DCP રાજદીપસિંહ નકુમ સહિત 15-20 પોલીસ અધિકારીઓ સામે સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી છે. આ ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ, કાયદાની પ્રક્રિયાના સિદ્ધાંતોના ભંગ બદલ અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરાઈ છે. હાઈકોર્ટ આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરશે અને ન્યાયવ્યવસ્થામાં વિશ્વાસ જાળવી રાખવા માટે સ્વતંત્ર તપાસ અને માર્ગદર્શિકા ઘડવાની પણ અપેક્ષા છે.
સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવા મુદ્દે હાઇકોર્ટ દ્વારા DCP સામે સુઓ મોટો
રામ મંદિરમાં દાન ચોરી બાદ મોટી કાર્યવાહી!
અયોધ્યા રામ મંદિરમાં દાનની રકમ ચોરીના કિસ્સા બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે વહીવટી વ્યવસ્થામાં મોટા ફેરફારો શરૂ કર્યા છે. 349 કર્મચારીઓની સ્ક્રીનિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં દાન ગણતરી સાથે જોડાયેલા જૂના તમામ 36 કર્મચારીઓને હટાવી દેવાયા છે. હવે SBI દ્વારા તૈનાત કરાયેલ નવો સ્ટાફ રોકડ દાનની ગણતરી કરશે. આ ઉપરાંત, ટ્રસ્ટની બેઠકમાં નવા મહાસચિવની પસંદગી અને નવા સભ્યોનો સમાવેશ પણ કરાશે.
રામ મંદિરમાં દાન ચોરી બાદ મોટી કાર્યવાહી!
દિલ્હી પ્રદર્શનના પ્રત્યાઘાત: અમદાવાદમાં ભાજપ દ્વારા રાજીવ ગાંધી ભવન બહાર ધરણાં
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિલ્હી સ્થિત નિવાસસ્થાન બહાર થયેલા કોંગ્રેસના પ્રદર્શનના વિરોધમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે ઉગ્ર ધરણાં પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. કોઈપણ અપ્રિય ઘટના રોકવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ડબલ લેયર બેરિકેડિંગ ગોઠવી વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો.
દિલ્હી પ્રદર્શનના પ્રત્યાઘાત: અમદાવાદમાં ભાજપ દ્વારા રાજીવ ગાંધી ભવન બહાર ધરણાં
'NEET પેપર લીક વિવાદ મુદ્દે સરકાર ચર્ચા માટે તૈયાર...', કેન્દ્રીય મંત્રી રિજિજૂનું મોટું નિવેદન
NEET પેપર લીક અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહીને લઈને વિપક્ષે કેન્દ્ર સરકાર પર હુમલા તેજ કર્યા છે. આ વિરોધ વચ્ચે બુધવારે કેન્દ્ર સરકાર સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ સ્પષ્ટ કર્યું હતું કે, 'સરકાર નીટ પેપર લીક અંગે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છે. વિદ્યાર્થીઓ અમારી સૌથી પહેલી પ્રાથમિકતા છે.' જોકે, વિપક્ષ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ રહ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી.
'NEET પેપર લીક વિવાદ મુદ્દે સરકાર ચર્ચા માટે તૈયાર...', કેન્દ્રીય મંત્રી રિજિજૂનું મોટું નિવેદન
$૧૧૨ મિલિયનની આતંકવાદ વીમા પોલિસી અને ૧૯,૦૦૦ ફાઇલો લીક થવાનો ભારતીય પરમાણુ સુરક્ષા માટે શું અર્થ?
કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (KKNPP) થી ૧૯,૦૦૦ સંવેદનશીલ ફાઇલો અને $૧૧૨ મિલિયનની આતંકવાદ વિરોધી વીમા પોલિસીનો ડેટા લીક થવાથી ભારતીય પરમાણુ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ડેટા લીક રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (Reliance Infrastructure Limited) ના સપ્લાય ચેઇનમાં થયેલી ખામીને કારણે થયું છે, જે KKNPPના યુનિટ ૩ અને ૪ ના નિર્માણ સાથે સંકળાયેલી છે. આ લીક થયેલી ફાઇલોમાં એન્જિનિયરિંગ ડ્રોઇંગ્સ, કંટ્રોલ રૂમ ડિઝાઇન અને સાધનસામગ્રીના અહેવાલોનો સમાવેશ થાય છે. સ્વતંત્ર સુરક્ષા નિષ્ણાતો આ ઘટનાને "ગંભીર" ખતરો ગણાવી રહ્યા છે, જે દેશની સુરક્ષા અને નાગરિકોની ચિંતામાં વધારો કરે છે.
$૧૧૨ મિલિયનની આતંકવાદ વીમા પોલિસી અને ૧૯,૦૦૦ ફાઇલો લીક થવાનો ભારતીય પરમાણુ સુરક્ષા માટે શું અર્થ?
નર્મદાનું નીર જામનગરના જળાશયોમાં પહોંચાડવાનું શરૂ
સૌની યોજના હેઠળ, રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેર માટે નર્મદા નદીનું પાણી આજી-3, ઊંડ-1 અને સસોઈ ડેમમાં પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા કુલ 550 એમસીએફટી પાણી ફાળવવામાં આવ્યું છે, જેમાં આજી-3 ડેમમાં 200 એમસીએફટી, ઊંડ-1 ડેમમાં 200 એમસીએફટી અને સસોઈ ડેમમાં 150 એમસીએફટી પાણી આવશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ એક મહિનો લાગશે. ચોમાસામાં વિલંબ છતાં, આ પગલાથી શહેરની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવામાં રાહત મળશે અને પાણીની અછતનો ભય ઘટશે.
નર્મદાનું નીર જામનગરના જળાશયોમાં પહોંચાડવાનું શરૂ
ટ્રેનોની રફ્તાર વધારવા રેલવે એક્શનમાં: 300 જેટલા સ્ટોપેજ હટાવાશે
ભારતીય રેલવે લાંબા અંતરની અને પ્રીમિયમ ટ્રેનોની ઝડપ વધારવા માટે દેશભરમાં 300થી વધુ પ્રાયોગિક ટ્રેન સ્ટોપેજને તબક્કાવાર રીતે નાબૂદ કરશે. આ નિર્ણય ઓક્ટોબર 2026 સુધીમાં અમલમાં આવશે, જેનાથી મુસાફરીનો સમય 15 થી 45 મિનિટ સુધી ઘટશે. ઘણા સ્ટોપેજ પર દરરોજ 15 ટિકિટ પણ વેચાતી નહોતી, જેના કારણે બળતણ અને વીજળીનો વ્યય થતો હતો. RDSO ના અહેવાલ મુજબ, એક સ્ટોપેજ દૂર કરવાથી ટ્રેનની 5-7 મિનિટ બચશે, તેમજ વીજળી અને ડીઝલની પણ નોંધપાત્ર બચત થશે. આ સમીક્ષા હેઠળ દિલ્હીથી ઉપડતી 12 પ્રીમિયમ ટ્રેનો અને ત્રણ વંદે ભારત રૂટનો સમાવેશ થાય છે.
ટ્રેનોની રફ્તાર વધારવા રેલવે એક્શનમાં: 300 જેટલા સ્ટોપેજ હટાવાશે
સુરતમાં વરસાદે ફરી ખોલી પાલિકાના વિકાસના દાવાની પોલ
સુરતમાં વરસાદ પડતાં જ રસ્તાઓની વાસ્તવિક સ્થિતિ ફરી સામે આવી છે. કરોડો રૂપિયાના રોડ બનાવવાના દાવા વચ્ચે ગોડાદરા માનસરોવર વિસ્તારમાં રોડ અચાનક બેસી જતાં એક ડમ્પર ભુવા માં ફસાઈ ગયું. આ ઘટનાએ પાલિકાની કામગીરી અને રોડની ગુણવત્તા અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. વરસાદી મોસમમાં રસ્તા ધસી પડવાની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાય છે. પ્રી-મોન્સૂન કામો અને રસ્તા ની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. કાયમી ઉકેલ લાવવામાં પાલિકા નિષ્ફળ રહી છે, જેનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરતમાં વરસાદે ફરી ખોલી પાલિકાના વિકાસના દાવાની પોલ
નવસારીમાં ધોધમાર વરસાદ: નદીઓમાં ઘોડાપૂર, 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ
નવસારી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે મીંઢોળા, અંબિકા, કાવેરી અને ઓરંગા જેવી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ-દિલ્હી નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર બંધ થયો છે. કાવેરી નદી ભયજનક સપાટી વટાવતા બીલીમોરા શહેરમાં પૂર આવ્યું છે. SDRF ટીમો દ્વારા 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરાઈ છે.
નવસારીમાં ધોધમાર વરસાદ: નદીઓમાં ઘોડાપૂર, 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ
સુરતમાં વરસાદી કહેર: પાણી ભરાવાથી વાહનવ્યવહાર ખોરવાયો
સુરત શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે, જેના કારણે જનજીવન પર અસર થઈ રહી છે. ઉધના દરવાજા-સચિન રોડ પર નવીન ફ્લોરીન અને ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક ભારે પાણી ભરાવાને કારણે માર્ગ વાહનવ્યવહાર માટે જોખમી બન્યો છે. આ સ્થિતિમાં, મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત પાલિકાએ સિટી બસ સેવામાં ફેરફાર કર્યો છે. R-11 (ઉધના દરવાજા-સચિન) રૂટ સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવ્યો છે, જ્યારે R-16 (કોસાડ-સચિન) રૂટ માત્ર ડિંડોલી વારીગૃહ સુધી ચલાવવામાં આવશે. પાણીના નિકાલની કામગીરી ચાલુ છે અને પરિસ્થિતિ સામાન્ય થતાં બસ સેવાઓ પુનઃ શરૂ થશે.
સુરતમાં વરસાદી કહેર: પાણી ભરાવાથી વાહનવ્યવહાર ખોરવાયો
અલ્લાહાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો: આરોપીના ઘરે 2 વર્ષ સુધી બુલડોઝર નહીં ફરે
અલ્લાહાબાદ હાઇકોર્ટનો 'બુલડોઝર જસ્ટિસ' મુદ્દે વિભાજિત ચુકાદો આવ્યો છે. એક જજ જસ્ટિસ અતુલ શ્રીધરને FIR નોંધાયાની તારીખથી 2 વર્ષ સુધી આરોપીના ઘર પર ડિમોલિશન કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો. તેમણે આવી કાર્યવાહીને બદલાની ભાવના ગણાવી. જોકે, બીજા જજ જસ્ટિસ સિદ્ધાર્થ નંદને આના પર અસહમતિ દર્શાવી, કહ્યું કે કાર્યવાહી રોકવા માટે ચોક્કસ સમયસીમા નક્કી ન થઈ શકે. આ મતભેદને કારણે મામલો ત્રીજા જજ પાસે મોકલાયો છે.