નર્મદાનું નીર જામનગરના જળાશયોમાં પહોંચાડવાનું શરૂ
નર્મદાનું નીર જામનગરના જળાશયોમાં પહોંચાડવાનું શરૂ
Published on: 22nd July, 2026

સૌની યોજના હેઠળ, રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેર માટે નર્મદા નદીનું પાણી આજી-3, ઊંડ-1 અને સસોઈ ડેમમાં પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા કુલ 550 એમસીએફટી પાણી ફાળવવામાં આવ્યું છે, જેમાં આજી-3 ડેમમાં 200 એમસીએફટી, ઊંડ-1 ડેમમાં 200 એમસીએફટી અને સસોઈ ડેમમાં 150 એમસીએફટી પાણી આવશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ એક મહિનો લાગશે. ચોમાસામાં વિલંબ છતાં, આ પગલાથી શહેરની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવામાં રાહત મળશે અને પાણીની અછતનો ભય ઘટશે.