૨૪ કિમી પ્રતિ કલાકના ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે બંધ રખાયો
૨૪ કિમી પ્રતિ કલાકના ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે બંધ રખાયો
Published on: 14th June, 2026

શનિવારે જુનાગઢ સહિત સોરઠના વાતાવરણમાં પલટો યથાવત રહ્યો. સવારથી ભેજનું પ્રમાણ વધીને ૮૧ ટકા થયું, જેના કારણે બફારો વધ્યો. લઘુતમ તાપમાન ૨૮.૩ ડિગ્રી અને મહત્તમ તાપમાન ઘટીને ૩૭ ડિગ્રી નોંધાયું. પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાંથી ૨૨ થી ૨૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. આ ભારે પવનને કારણે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ગિરનાર રોપ-વે સેવા દિવસભર બંધ રાખવામાં આવી હતી.