મુક્ત વેપાર કરાર કરાયેલા દેશો સાથે ભારતની ૪૦% થી વધુ નિકાસ
મુક્ત વેપાર કરાર કરાયેલા દેશો સાથે ભારતની ૪૦% થી વધુ નિકાસ
Published on: 25th July, 2026

નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં, મુક્ત વેપાર કરાર (FTA) ધરાવતા દેશો સાથે ભારતીય નિકાસ કુલ નિકાસના ૪૦.૫૦% રહી. આ દેશોમાં ભારતની નિકાસ ૧૭૯.૧૦ અબજ ડોલર પહોંચી. વાણિજ્ય મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન પ્રસાદે રાજ્યસભામાં આ માહિતી આપી. FTAના કારણે બજાર જોડાણો મજબૂત બન્યા છે અને વેપાર અવરોધો ઘટ્યા છે, જેનાથી વેપારમાં વૃદ્ધિ થઈ છે. યુએઈ સાથેના FTA બાદ નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે, જે કરારના ફાયદા દર્શાવે છે.