AI માનવજાત પર હાવી ન થવું જોઈએ: પોપ લિયોની ચેતવણી
AI માનવજાત પર હાવી ન થવું જોઈએ: પોપ લિયોની ચેતવણી
Published on: 26th May, 2026

પોપ લિયોએ AI અંગે વિશ્વને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ટેકનોલોજી માનવજાત પર હાવી ન થવી જોઈએ. તેમણે સરકારોને AIના ડેવલપમેન્ટની ગતિ ધીમી પાડવા અને તેને લગતા કડક વૈશ્વિક નિયમો બનાવવાની અપીલ કરી છે. વેટિકનમાં જાહેર કરાયેલા તેમના દસ્તાવેજ 'મેગ્નિફિકા હ્યુમાનિટાસ'માં પોપે જણાવ્યું કે, AI માનવજાત માટે ઉપયોગી બની શકે છે પરંતુ, જો તે નિયંત્રણ વગર આગળ વધશે તો ખોટી માહિતી ફેલાશે, રોજગાર પર અસર થશે અને યુદ્ધ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.