દાહોદ ખાતે સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય રક્તદાન શિબિર સફળ.
દાહોદ ખાતે સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય રક્તદાન શિબિર સફળ.
Published on: 26th May, 2026

દાહોદમાં સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા સતગુરુ માતા સુદીક્ષા મહારાજ તથા રાજપિતાના માર્ગદર્શન હેઠળ એક મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. થેલેસેમિયા પીડિત બાળકો, સગર્ભા મહિલાઓ અને ગંભીર દર્દીઓની રક્ત જરૂરિયાત પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ સેવાયજ્ઞમાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. થોડા જ કલાકોમાં 300થી વધુ યુનિટ રક્તનું દાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ શિબિરનું ઉદ્ઘાટન ઝોનલ ઇન્ચાર્જ ભૂપેન્દ્રભાઈ ગડરિયાજી દ્વારા કરાયું.