પાકિસ્તાનના કોહાટમાં શિયા મસ્જિદ પર આત્મઘાતી હુમલો
પાકિસ્તાનના કોહાટમાં શિયા મસ્જિદ પર આત્મઘાતી હુમલો
Published on: 19th September, 2026

પાકિસ્તાનના ખૈબર પ્રાંતના કોહાટ જિલ્લામાં શુક્રવારની નમાઝ દરમિયાન એક શિયા મસ્જિદમાં ભયાનક આત્મઘાતી હુમલો થયો. આશરે સાત ફિદાયીન હુમલાખોરોએ વિસ્ફોટકો ભરેલું વાહન મસ્જિદના ગેટ સાથે અથડાવી દીધું, જેના પગલે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૨૭ લોકો માર્યા ગયા, જેમાં ૧૬ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ આતંકી હુમલામાં ૭૮થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન પાકિસ્તાન નામના સુન્ની મુસ્લિમ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.