પનામા નહેરમાં સમુદ્રનું પાણી ઘટતાં જહાજોની અવરજવર પર અસર
પનામા નહેરમાં સમુદ્રનું પાણી ઘટતાં જહાજોની અવરજવર પર અસર
Published on: 19th September, 2026

ક્લાઈમેટ ચેન્જ અને અપૂરતા વરસાદને કારણે પનામા નહેર ભયજનક સ્થિતિમાં આવી ગઈ છે. આ નહેર, જે એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરોને જોડે છે, તે સંપૂર્ણપણે મીઠા પાણી પર આધારિત છે. છેલ્લા ૩૦ વર્ષમાં સૌથી ઓછો વરસાદ થતાં નહેરમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઘટ્યું છે, જેના કારણે દરરોજ પસાર થતા જહાજોની સંખ્યા ઘટાડવી પડી છે. જો આ પરિસ્થિતિ યથાવત રહેશે, તો ભવિષ્યમાં વધુ ઘટાડો થઈ શકે છે, જે વૈશ્વિક વેપારને અસર કરશે.