જાપાનમાં 7.1 તીવ્રતાના ભૂકંપ બાદ તબાહી
જાપાનમાં 7.1 તીવ્રતાના ભૂકંપ બાદ તબાહી
Published on: 29th July, 2026

જાપાનના દક્ષિણ ટાપુ ક્યૂશૂમાં 7.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ મોટી તબાહી સર્જાઈ છે. ભૂકંપમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક બિલ્ડિંગો ધરાશાયી થતાં લોકો લાપતા થયા છે. કુમામોતો રાજ્યના કાશિમા ટાઉનમાં એયોન મોલની બિલ્ડિંગ ધરાશાયી થતાં ભયાનક વિસ્ફોટ થયો હતો. યાત્સુશિરોમાં એક ઈન્ડસ્ટ્રીમાં વિશાળ ચીમની તૂટી પડતાં અનેક કર્મચારીઓ દબાયા હોવાની આશંકા છે. 2.6 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ અપાઈ છે. સુનામીની ચેતવણી પરત ખેંચાઈ છે, પરંતુ આગામી દિવસોમાં આફ્ટરશોકની આશંકા છે. ત્રણ પરમાણુ ઊર્જા પ્લાન્ટ સુરક્ષિત છે.