ચીની નિષ્ણાતનો દાવો: "જો ન્યુક્લિયર યુદ્ધ થયું તો પાકિસ્તાન પહેલા પરમાણુ બોમ્બ ફેંકશે!"
ચીની નિષ્ણાતનો દાવો: "જો ન્યુક્લિયર યુદ્ધ થયું તો પાકિસ્તાન પહેલા પરમાણુ બોમ્બ ફેંકશે!"
Published on: 13th August, 2026

ચીનમાં જન્મેલા કેનેડિયન પ્રોફેસર જિયાંગ શુએચિન (Jiang Xueqin) એ આગાહી કરી છે કે જો ભવિષ્યમાં પરમાણુ યુદ્ધ થાય, તો પાકિસ્તાન સૌપ્રથમ પરમાણુ હુમલો કરી શકે છે. તેઓ માને છે કે પરમાણુ યુદ્ધની શક્યતા ઓછી છે, પરંતુ પાકિસ્તાનની નબળાઈઓ, અસંગઠિત શાસન અને પર્યાપ્ત કંટ્રોલ સિસ્ટમ્સના અભાવને કારણે તે આવા પગલાં ભરી શકે છે. ભારતના 'નો-ફર્સ્ટ-યૂઝ' નીતિથી વિપરીત, પાકિસ્તાન પોતાની પરંપરાગત સૈન્ય નબળાઈઓને પહોંચી વળવા પરમાણુ શસ્ત્રોને બચાવનું સાધન માને છે. પાકિસ્તાની નેતાઓ દ્વારા અગાઉ અપાયેલી પરમાણુ ધમકીઓ પણ આ શક્યતાને સમર્થન આપે છે.