ભારતની એરલાઈન્સનું 'ક્રેશ લેન્ડિંગ' નક્કી? FIAની ચેતવણી- સરકાર મદદ કરે નહીંતર તાળાં મારવા પડશે.
ભારતની એરલાઈન્સનું 'ક્રેશ લેન્ડિંગ' નક્કી? FIAની ચેતવણી- સરકાર મદદ કરે નહીંતર તાળાં મારવા પડશે.
Published on: 29th April, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેના સૈન્ય સંઘર્ષને કારણે જેટ ફ્યુઅલ (ATF)ના ભાવમાં થયેલા અસહ્ય વધારાથી ભારતીય એરલાઇન્સ મુશ્કેલીમાં મુકાઈ છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) એ સરકારને ચેતવણી આપી છે કે સંચાલન ખર્ચમાં ઈંધણનો હિસ્સો ૪૦% થી વધીને ૬૦% સુધી પહોંચતા કંપનીઓનું અસ્તિત્વ જોખમમાં છે. જો તાત્કાલિક નાણાકીય રાહત નહીં મળે, તો એર ઇન્ડિયા અને ઇન્ડિગો જેવી મોટી કંપનીઓની કામગીરી બંધ થવાની ભીતિ છે. એરલાઇન્સ ક્ષેત્રને કાયમી નુકસાનથી બચાવવા માટે હવે સરકારની સહાય અનિવાર્ય બની ગઈ છે.