ભારતીય સામાન પર ટેક્સ લગાવીને ફસાયા બાલેન શાહ?
ભારતીય સામાન પર ટેક્સ લગાવીને ફસાયા બાલેન શાહ?
Published on: 04th May, 2026

નેપાળમાં ભારતથી આવતા સામાન પર લાદવામાં આવેલા નવા કસ્ટમ ટેક્સ અને કડક નિયમોને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. નેપાળના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યાંની સરકારના નવા આદેશ બાદ વેપારીઓએ વિરોધ નોંધાવતા છેલ્લા ચાર દિવસથી સામાનની આયાત અટકાવી દીધી છે. આ અચોક્કસતાને કારણે ભારત-નેપાળ બોર્ડર પર હજારો કન્ટેનરો ફસાઈ ગયા છે અને ટ્રકોની લાંબી લાઈનો લાગી છે. જો વેપારીઓ અને સરકાર વચ્ચેનો આ અવરોધ જલ્દી ઉકેલાશે નહીં, તો નેપાળના બજારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ શકે છે અને સામાન્ય જનતા માટે મોંઘવારીનો મોટો ફટકો પડવાની શક્યતા છે.