પ્રસિદ્ધ પર્વતારોહક નિર્મલ પૂરજાનું છેલ્લું અભિયાન કેવી રીતે બન્યું જીવલેણ?
પ્રસિદ્ધ પર્વતારોહક નિર્મલ પૂરજાનું છેલ્લું અભિયાન કેવી રીતે બન્યું જીવલેણ?
Published on: 03rd August, 2026

વિશ્વના પ્રસિદ્ધ પર્વતારોહક નિર્મલ 'નિમ્સ' પૂરજા સહિત 10 લોકો ભયાનક હિમસ્ખલનમાં જીવ ગુમાવી ચૂક્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની કારાકોરમ પર્વતમાળામાં બ્રોડ પીક પર આ દુર્ઘટના બની. 43 વર્ષીય બ્રિટિશ-નેપાલી પર્વતારોહક નિર્મલ પૂરજા અને તેમની ટીમ 5,700 મીટરની ઊંચાઈએ હતા ત્યારે હિમસ્ખલનની ચપેટમાં આવી ગયા. દુર્ઘટના પહેલાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં પર્વતારોહકો ઉપર ચઢી રહ્યા છે. રેસ્ક્યુ ટીમે નિર્મલ પૂરજા સહિત ચાર મૃતદેહ શોધ્યા છે, પરંતુ ખરાબ હવામાનને કારણે વધુ મૃતદેહ લાવવા મુશ્કેલ છે. આ ઘટનાએ દુનિયાભરના પર્વતારોહકોમાં શોક ફેલાવ્યો છે.