પાકિસ્તાનમાં ઇંધણ બચાવવા દુકાનો રાત્રે 8 વાગ્યા પછી બંધ થશે
પાકિસ્તાનમાં ઇંધણ બચાવવા દુકાનો રાત્રે 8 વાગ્યા પછી બંધ થશે
Published on: 01st June, 2026

ઇંધણ કટોકટીના પગલે પાકિસ્તાનમાં ઊર્જા બચાવવા માટે નવા કડક નિયમો લાગુ કરાયા છે. ઇસ્લામાબાદ સહિત દેશભરના શહેરોમાં સોમવારથી જ આ નિયમોનો અમલ શરૂ થયો છે. દુકાનો, શોપિંગ મૉલ્સ રાત્રે 8:00 વાગ્યા પછી બંધ રહેશે, જ્યારે રેસ્ટોરાં, બેકરી, અને ખાણીપીણીના સ્ટોલ્સ રાત્રે 10:00 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. મેરેજ હૉલ, સિનેમા, થિયેટર પણ રાત્રે 10:00 વાગ્યે બંધ કરાશે. જોકે, હૉસ્પિટલો, ફાર્મસી (મેડિકલ સ્ટોર્સ), અને પેટ્રોલ પંપને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે.