સોમાલિયા-યમનના ચાંચિયાઓએ ૨૨ ભારતીયો સહિત બે જહાજોનું અપહરણ કર્યું
સોમાલિયા-યમનના ચાંચિયાઓએ ૨૨ ભારતીયો સહિત બે જહાજોનું અપહરણ કર્યું
Published on: 22nd August, 2026

સોમાલિયા અને યમનના ચાંચિયાઓએ બે અલગ અલગ ઘટનાઓમાં બે કાર્ગો શિપ પકડી લીધા હતા, જેમાં કુલ ૨૨ ભારતીયોના અપહરણ થયા છે. આ જહાજોમાં ભારતીયો ઉપરાંત સીરિયા, સુદાન અને ઈરાક જેવા દેશોના નાગરિકો પણ સામેલ હતા. પ્રથમ ઘટનામાં ઈરિટ્રિયાના એક જહાજને એડનની ખાડીમાંથી પસાર થતી વખતે ૩૦ નોટિકલ માઈલ દૂર ચાંચિયાઓએ હથિયારબદ્ધ હુમલો કરીને કબજે કર્યું, જેમાં ૧૬ ભારતીયો સહિત ૨૦ ક્રૂ સવાર હતા. બીજી ઘટનામાં સોમાલિયાના નજીક કેમરુન કંપનીના જહાજ પર ૮ સોમાલિયન ચાંચિયાઓએ હુમલો કરી, છ ભારતીયો સહિત ૧૦ ક્રૂને બાનમાં લીધા. ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે બધા નાગરિકો સલામત છે.