કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો.
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો.
Published on: 14th May, 2026

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ખાંડના ભાવ પર નિયંત્રણ મેળવવા અને સ્થાનિક પુરવઠો જાળવી રાખવા માટે ખાંડના નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા બુધવારે ખાંડના નિકાસ અંગે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં ખાંડના વધતા ભાવને અંકુશમાં લેવા અને સ્થાનિક બજારમાં પર્યાપ્ત માત્રામાં ખાંડ ઉપલબ્ધ રહે તે હેતુથી સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.