કોમામાં ત્રણ વર્ષ બાદ થાઈલેન્ડની રાજકુમારીનું નિધન, ઉત્તરાધિકારનો પ્રશ્ન ગૂંચવાયો
કોમામાં ત્રણ વર્ષ બાદ થાઈલેન્ડની રાજકુમારીનું નિધન, ઉત્તરાધિકારનો પ્રશ્ન ગૂંચવાયો
Published on: 12th June, 2026

થાઇલેન્ડના રાજપરિવારમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી કોમામાં રહેલા થાઇલેન્ડના પ્રિન્સેસ બજ્રકિતીયાભા (47) નું અવસાન થયું છે. ડિસેમ્બર 2022માં હૃદયની અનિયમિત ધડકનને કારણે તેઓ કોમામાં સરી પડ્યા હતા. તેઓ રાજા વજિરાલોંગકોર્નના સૌથી મોટા પુત્રી અને શિક્ષિત વકીલ હતા, જેમણે સંયુક્ત રાષ્ટ્રમાં પણ સેવા આપી હતી. જેલ સુધારણા અને મહિલા કેદીઓ માટે તેમણે અવાજ ઉઠાવ્યો હતો. તેમના નિધનથી થાઇલેન્ડના ઉત્તરાધિકારનો પ્રશ્ન વધુ ગૂંચવાયો છે, કારણ કે તેઓ રાજાના સંભવિત વારસદાર ગણાતા હતા.