લંડનના રીચમંડમાં કુમકુમ મંદિર દ્વારા વિશેષ સત્સંગ સભાનું ભવ્ય આયોજન
લંડનના રીચમંડમાં કુમકુમ મંદિર દ્વારા વિશેષ સત્સંગ સભાનું ભવ્ય આયોજન
Published on: 22nd August, 2026

લંડનના ઐતિહાસિક રીચમંડ ખાતે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુ.કે. દ્વારા એક વિશેષ સત્સંગ સભાનું આયોજન થયું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદથી પધારેલા શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામી અને સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ આ પાવનકારી ભૂમિનો આધ્યાત્મિક મહિમા વર્ણવ્યો. મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જન સ્થળે વૃક્ષારોપણ અને સ્મારક બેન્ચની સ્થાપના કરાઈ. આ સ્થળ સંતોના તપોબળ અને શાંતિનો અનુભવ કરાવે છે, જે ભગવાન સ્વામિનારાયણના વચનામૃત મુજબ તીર્થ સમાન પવિત્ર છે.