ધોળેશ્વર મહાદેવ: ઇન્દ્રએ સ્થાપ્યું શિવલિંગ, સંતે બદલ્યો ઘોડાનો રંગ
ધોળેશ્વર મહાદેવ: ઇન્દ્રએ સ્થાપ્યું શિવલિંગ, સંતે બદલ્યો ઘોડાનો રંગ
Published on: 22nd August, 2026

ગાંધીનગરના સાબરમતી કિનારે આવેલું ‘ધોળેશ્વર મહાદેવ’ શિવાલય અતિ પૌરાણિક છે. માન્યતા અનુસાર, ઇન્દ્રએ અહીં શિવલિંગ સ્થાપ્યું હતું, તેથી તે ‘ઇન્દ્રેશ્વર મહાદેવ’ તરીકે ઓળખાતું. એક દંતકથા મુજબ, ચોરોએ પકડાઈ જતાં મંદિરમાં છુપાઈને એક સંત પાસે રક્ષણ માંગ્યું. સંતે તેમના ચોરેલા કાળા અને લાલ ઘોડાનો રંગ બદલીને ધોળો કરી દીધો, જેથી સૈનિકો તેમને ઓળખી ન શકે. ત્યારથી આ શિવ ‘ધોળેશ્વર મહાદેવ’ તરીકે પ્રસિદ્ધ થયા. પુરાણોમાં પણ આ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે.