નેપાળમાં અર્લી વોર્નિંગ સિસ્ટમની ૩૮ મિનિટની ચૂક બની 'કાળ'
નેપાળમાં અર્લી વોર્નિંગ સિસ્ટમની ૩૮ મિનિટની ચૂક બની 'કાળ'
Published on: 03rd September, 2026

નેપાળમાં હિમશિખર તૂટવાથી આવેલી અચાનક પૂર અને તારાજીમાં મૃત્યુઆંક ૧૨૭૫ પાર થયો છે, ૪,૨૧૬ લોકો લાપતા છે. કુદરતી હોનારતોની ચેતવણી માટે ગોઠવાયેલી અર્લી વોર્નિંગ સિસ્ટમ પર સવાલો ઉઠ્યા છે. હિમશિખર તૂટ્યાના ૩૮ મિનિટ પછી સિસ્ટમે ચેતવણી આપી, ત્યાં સુધીમાં ફ્લેશ ફ્લડે ભારે તારાજી સર્જી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે ૯.૧૫ કલાકે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજ મોકલ્યા. આ વિલંબ કાળ સાબિત થયો, જોકે મોડેથી અપાયેલી ચેતવણીથી ઘણા લોકોને બચાવી શકાયા.