કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ
કેરળમાં ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવની તૈયારીઓ વચ્ચે ભયાનક દુર્ઘટના બની છે. અહીં ત્રિશૂર શહેરમાં મુંડાથિકોડ સ્થિત આજે બપોરે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં છ લોકોના મોત અને 40થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં 8ની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની પણ માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડના વાહનો તુરંત પહોંચી ગયા છે અને હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ એટલી ગંભીર છે કે, મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઈજાગ્રસ્તોમાં 18ને ત્રિશૂર મેડિકલ કૉલેજમાં લઈ જવાયા છે.
કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ
હેલ્થકેર ક્ષેત્રે ભારતનો ‘AI પાવર’: AI ટુલ્સ વાપરવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ, USA-જાપાનને પણ પાછળ છોડ્યા
ભારતમાં 85 ટકા લોકો AI આધારિત ટુલ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. AI ટુલ્સ વાપરવામાં ભારતીયોએ USA-જાપાનને પણ પાછળ છોડી દીધા છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ(BCG) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસનું ટાઈટલ છે કે, 'ગ્રાહકો AI-સક્ષમ આરોગ્ય સંભાળ માટે તૈયાર છે. આરોગ્ય પ્રણાલીઓને પણ તૈયાર રહેવાની જરૂર છે.' આ રિપોર્ટ 15 દેશોના 13,000થી વધુ લોકોના કરવામાં આવેલા સર્વે પર આધારિત છે. જેમાં જણાવ્યું છે કે, AI ટુલ્સ વાપરવામાં ભારતનું સ્તર અમેરિકા(50 ટકા), બ્રિટન(40 ટકા) અને જાપાન(34 ટકા)થી ઘણું વધારે છે.
હેલ્થકેર ક્ષેત્રે ભારતનો ‘AI પાવર’: AI ટુલ્સ વાપરવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ, USA-જાપાનને પણ પાછળ છોડ્યા
ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા નાણા વિભાગને આદેશ
રાજ્યમાં વર્ષોથી માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારમાં ફૂલ ટાઇમ કામ કરતા કર્મચારીઓની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટ ખુબ અગત્યનો ચુકાદો જાહેર કર્યો છે. જિલ્લા પંચાયતમાં ફૂલ ટાઇમ ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર અને ડ્રાઇવરોને વર્ષોથી પાર્ટ ટાઇમ કર્મચારી ગણીને માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારથી રખાતા કર્મચારીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં સરકારના નાણા વિભાગે તેમને લઘુતમ વેતન આપવા ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે નાણા વિભાગને જૂન સુધીમાં કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ 6% વ્યાજ સાથે બાકી નીકળતો પગાર ચૂકવી દેવા આદેશ કર્યો છે.
ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા નાણા વિભાગને આદેશ
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા 'આતંકવાદી', ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન આપ્યું છે. ખડગે એક નિવેદનમાં PM મોદીને આતંકવાદી કહી દીધા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે મોદી આતંકવાદી છે અને તેમની પાર્ટી સમાનતાના સિદ્ધાંતમાં વિશ્વાસ કરતી નથી. ખડગેએ કહ્યું કે AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે અને પેરિયાર તથા આંબેડકરના સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરી રહી છે. જો કે બાદમાં ભાન પડતાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સ્પષ્ટતા કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, 'મેં આતંકવાદી નથી કહ્યું, મેં કહ્યું હતું કે તેઓ આતંકિત કરી રહ્યા છે.'
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા 'આતંકવાદી', ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
પાકિસ્તાન સાથે નહીં, પરંતુ ઈરાન સાથે વાટાઘાટો કરવા ખુદ ટ્રમ્પ મેદાનમાં આવવા તૈયાર!
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ બન્યા છે. વોશિંગ્ટન સમય અનુસાર બુધવારે સાંજે યુદ્ધવિરામની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે, તેવામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, જો વાટાઘાટોમાં પ્રગતિના સંકેતો દેખાય તો તેઓ વ્યક્તિગત રીતે ઈરાની નેતાઓને મળવા તૈયાર છે. ઈરાને ઈસ્લામાબાદમાં યોજાનારી આગામી રાઉન્ડની વાટાઘાટોનો બહિષ્કાર કરવાની ધમકી આપી હોવા છતાં, ટ્રમ્પે તેમની હાઈ-પ્રોફાઈલ ટીમ મોકલી દીધી છે. ટીમમાં વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને સલાહકાર જેરેડ કુશનરનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન સાથે નહીં, પરંતુ ઈરાન સાથે વાટાઘાટો કરવા ખુદ ટ્રમ્પ મેદાનમાં આવવા તૈયાર!
'કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું', આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદનથી ખળભળાટ!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે આંકલાવ ખાતે ભાજપની સભાને સંબોધતા સાંસદ મિતેશ પટેલે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે જનમેદની વચ્ચે જણાવ્યું હતું કે, 'જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર વિજેતા બનશે, તો હું ત્યાં એક રૂપિયો પણ ગ્રાન્ટ તરીકે આપવા દઈશ નહીં.'
'કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું', આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદનથી ખળભળાટ!
શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત!
મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર જોખમી વળાંક પર છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે યુદ્ધવિરામ પૂર્ણ થવાના આરે છે, પરંતુ શાંતિ મંત્રણા હજુ પણ અનિશ્ચિતતામાં લટકી રહી છે. આ સ્થિતિમાં હવે સવાલ માત્ર યુદ્ધ કે શાંતિનો નથી, પરંતુ એ મોટા સંકટનો છે જે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને અમેરિકી રાજનીતિને હચમચાવી શકે છે. અમેરિકન ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા ઘણા અઠવાડિયાની સૈન્ય કાર્યવાહી બાદ પણ ઈરાનની તાકાત સંપૂર્ણ ખતમ થઈ નથી. ઉલટાનું, તેની પાસે હજુ પણ એટલો જથ્થો બચ્યો છે કે, તે ગમે ત્યારે સ્થિતિને વિસ્ફોટક બનાવી શકે છે.
શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત!
ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર
અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં યુવકની હત્યાના મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે (21મી એપ્રિલ) વહીવટી તંત્ર દ્વારા આરોપીઓ અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધંધુકાના ખાટકી વાડ વિસ્તારમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ગત શનિવારે (18મી એપ્રિલ) ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ પંથકમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. તંત્રએ આજે વહેલી સવારથી જ ખાટકી વાડ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં ચારથી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર
ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો.
ગુજરાત હાઇકોર્ટે નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ (રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણ)ના કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતના આધારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, જો કોઈ કર્મચારીનું નોકરીના સ્થળે પહોંચતા પહેલા અથવા કામ પૂરું કરીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને ચાલુ ફરજ દરમિયાન જ થયેલું મૃત્યુ ગણાય અને તેના પરિવારજનો કર્મચારી વળતર અધિનિયમ હેઠળ યોગ્ય વળતર મેળવવા હકદાર ઠરે છે. ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો કામદારોના હિતોના રક્ષણ માટે બહુ ઉપયોગી અને અત્યંત પ્રભાવી સાબિત થશે.
ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો.
બુધવારે યુદ્ધવિરામ ખતમ, ડીલ નહીં થાય તો બોમ્બ ફૂટશે: ડોનાલ્ડ ટ્રમ્પ
સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાન સાથેનો વર્તમાન યુદ્ધવિરામ આગામી બુધવાર સાંજ સુધીમાં સમાપ્ત થઈ જશે. ટ્રમ્પે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, જો ઈરાન તેમની ડીલનો સ્વીકાર નહીં કરે, તો આ કરારને આગળ વધારવાની કોઈ સંભાવના નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ ઉતાવળમાં કોઈ નબળો કે ખરાબ સોદો કરવા માંગતા નથી. CNN મુજબ, પાકિસ્તાનમાં બીજા તબક્કાની મંત્રણા માટે ઈરાન તૈયાર હોવાનું જણાવાયું છે. આ સંભવિત વાટાઘાટો માટે અમેરિકી ઉપપ્રમુખ જેડી વેન્સ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ મંગળવારે પાકિસ્તાન જવા રવાના થશે.
બુધવારે યુદ્ધવિરામ ખતમ, ડીલ નહીં થાય તો બોમ્બ ફૂટશે: ડોનાલ્ડ ટ્રમ્પ
Appleના CEO તરીકે ટિમ કૂક પછી જ્હોન ટર્નસ, 15 વર્ષ પછી CEO બદલાયા; કૂક હવે એક્ઝિક્યુટિવ ચેરમેન.
ટિમ કૂકની જગ્યાએ હવે જ્હોન ટર્નસ Appleના નવા CEO બનશે, જેઓ 1 સપ્ટેમ્બર 2026થી કમાન સંભાળશે. કૂક એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે. કૂકના નેતૃત્વમાં Appleની વેલ્યુ 4 ટ્રિલિયન ડોલર થઈ. ટર્નસ 2001માં જોડાયા, સ્ટીવ જોબ્સ સાથે કામ કર્યું, અને તેઓ આઈપેડ, એરપોડ્સ, આઈફોન, Apple વોચ જેવા પ્રોડક્ટ્સમાં સામેલ હતા. ટર્નસ પાસે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી છે.
Appleના CEO તરીકે ટિમ કૂક પછી જ્હોન ટર્નસ, 15 વર્ષ પછી CEO બદલાયા; કૂક હવે એક્ઝિક્યુટિવ ચેરમેન.
UPનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ, પારો@44.4°C.
દેશના અનેક રાજ્યોમાં પારો ૪૪°C ને પાર પહોંચતા કાળઝાળ ગરમી અને 'વૉર્મ નાઇટ્સ'નો પ્રકોપ શરૂ થયો છે. ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ સૌથી ગરમ રહ્યું છે, જ્યારે મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક જિલ્લાઓમાં બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગરમીને કારણે યુપી અને ઝારખંડમાં શાળાઓના સમય બદલાયા છે અને ઓડિશામાં રજા જાહેર કરાઈ છે. હવામાન વિભાગે રાત્રિ દરમિયાન પણ લૂ ફૂંકાવાની ચેતવણી આપી છે, જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.
UPનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ, પારો@44.4°C.
8 ચોગ્ગા-7 સિક્સર, તિલક વર્માની તોફાની બેટિંગ:45 બોલમાં જ સદી ફટકારી.
IPL 2026ની 30મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 99 રનથી પરાજય આપ્યો છે. આ મેચમાં તિલક વર્માએ માત્ર 45 બોલમાં સદી ફટકારીને સનથ જયસૂર્યાના રેકોર્ડની બરાબરી કરી હતી, જે આ સિઝનની સૌથી ઝડપી સદી પણ છે. બોલિંગમાં જસપ્રીત બુમરાહે પહેલા જ બોલે વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો, જ્યારે સેન્ટનર અને અશ્વિની કુમારે બે-બે વિકેટ ઝડપી હતી. 99 રનની આ જીત મુંબઈની આઈપીએલ ઇતિહાસની ચોથી સૌથી મોટી જીત સાબિત થઈ છે.
8 ચોગ્ગા-7 સિક્સર, તિલક વર્માની તોફાની બેટિંગ:45 બોલમાં જ સદી ફટકારી.
ટ્રમ્પની ચેતવણી વચ્ચે શાંતિની આશા! જેડી વેન્સ ઇસ્લામાબાદ જશે, ઈરાનની મંજૂરી.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવા રાજદ્વારી પ્રયાસો તેજ થયા છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ઇસ્લામાબાદ પહોંચશે. ઈરાનના સુપ્રીમ લીડરે શાંતિ વાટાઘાટો માટે મંજૂરી આપી છે, જેમાં પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કીનું દબાણ છે. ટ્રમ્પે 22 એપ્રિલ સુધી સમજૂતી ન થાય તો બોમ્બમારો કરવાની ચેતવણી આપી છે. આ બેઠકમાં સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર પણ હાજર રહેશે.
ટ્રમ્પની ચેતવણી વચ્ચે શાંતિની આશા! જેડી વેન્સ ઇસ્લામાબાદ જશે, ઈરાનની મંજૂરી.
રાજકોટમાં નણંદને ભાભીની શુભેચ્છા.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ગરમાવો વધ્યો છે. રાજકોટમાં નણંદ-ભાભી એટલે કે રીવાબા જાડેજા અને નયનાબા વચ્ચેની ચૂંટણી જંગ આકર્ષણનું કેન્દ્ર બની છે, જ્યાં બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. બીજી તરફ, વડોદરામાં ધારાસભ્ય કેતન ઈનામદારે બેઠકો બિનહરીફ કરાવવા અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનથી ચર્ચાઓ તેજ થઈ છે. ૨૬ એપ્રિલે યોજાનાર મતદાન અને ૨૮ એપ્રિલના પરિણામો નક્કી કરશે કે જનતા કયા પક્ષના શાસન પર મહોર મારે છે.
રાજકોટમાં નણંદને ભાભીની શુભેચ્છા.
વોર્ડ-8: સાસુ 'AAP'માં, વહુ 'ભાજપ'માં, ચૂંટણી જંગ!
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં. 8 ચર્ચામાં છે, જ્યાં સાસુ AAPમાંથી અને વહુ ભાજપમાંથી લડી રહ્યા છે. AAPનાં રેખાબેન અને ભાજપનાં હીનાબેન થરેશા સામસામે છે. સ્થાનિકો પાણી અને ગટર જેવી સમસ્યાઓનો ઉકેલ ઇચ્છે છે. વહુ હીનાબેન કહે છે કે તેઓ ઘરના કામો કરી પ્રચારમાં જાય છે અને સાસુ એમની રીતે લડે છે, પણ અંતે વિકાસ જ મહત્વપૂર્ણ છે. લોકો મહાનગરપાલિકા બન્યા પછી સુવિધાઓથી ખુશ છે.
વોર્ડ-8: સાસુ 'AAP'માં, વહુ 'ભાજપ'માં, ચૂંટણી જંગ!
ભાવનગર પોલીસ એક્શનમાં: 4921 આરોપીઓની ધરપકડ, પાંચને પાસા હેઠળ ધકેલાયા.
ભાવનગર પોલીસ 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક્શન મોડમાં છે. 4921 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા છે અને પાંચને પાસા હેઠળ ધકેલાયા છે. 23 સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બાજ નજર રાખશે. ચૂંટણીમાં ખલેલ ન પહોંચે માટે કડક કામગીરી શરૂ કરી છે. ભાવનગર પોર્ટ મરીન દ્વારા 12 નોટીકલ માઇલમાં બોટ દ્વારા પેટ્રોલીંગ કરાઈ રહ્યું છે.
ભાવનગર પોલીસ એક્શનમાં: 4921 આરોપીઓની ધરપકડ, પાંચને પાસા હેઠળ ધકેલાયા.
ભાવનગર પોર્ટની હાલત થઇ ક્ષીણ.
ગુજરાત મેરિટાઇમ બોર્ડ હસ્તકના ભાવનગર બંદર પર છેલ્લા છ માસથી ડ્રેજિંગ કાર્ય ખોરવાતા કાંપના થર જામી રહ્યા છે. ડ્રેજર 'ક્રિષ્નામણી'માં ટેકનિકલ ખામી અને ડિસ્ચાર્જ લાઇનના શિફ્ટિંગને કારણે બેસિનની ઊંડાઈ ઘટી રહી છે, જેનાથી ઓટના સમયે માલવાહક બાર્જના સંચાલનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. સીએનજી ટર્મિનલની કામગીરી વચ્ચે ડ્રેજિંગનો કાયમી ઉકેલ ન આવતા બંદરની હાલત ક્ષીણ થઈ રહી છે, જે માલવાહક જહાજોના પરિવહન અને બંદરની કાર્યક્ષમતા માટે ગંભીર પડકાર સાબિત થઈ રહ્યો છે.
ભાવનગર પોર્ટની હાલત થઇ ક્ષીણ.
એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી 74 વર્ષીય વૃદ્ધાનું ચક્ષુદાન.
ભાવનગર સર ટી. હોસ્પિટલમાં, એમ્બ્યુલન્સ ચાલકે 74 વર્ષીય વૃદ્ધાના પરિજનોને ચક્ષુદાન માટે પ્રેરિત કર્યા. સારવાર દરમિયાન વૃદ્ધાનું અવસાન થતા, એમ્બ્યુલન્સ ચાલકે અંગદાનનું મહત્વ સમજાવ્યું. પરિવારે ભાવુકતામાં પણ માનવતા દાખવી ચક્ષુદાનનો નિર્ણય લીધો, જેનાથી બે વ્યક્તિઓના જીવનમાં ફરીથી ઉજાસ આવશે.
એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી 74 વર્ષીય વૃદ્ધાનું ચક્ષુદાન.
ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણી 2026: ગરમી, વેકેશન અને લગ્ન વચ્ચે મતદાન વધારવું એક પડકાર.
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 26 એપ્રિલે 40 ડિગ્રી ગરમીમાં મતદાન વધારવું રાજકીય પક્ષો માટે પડકાર છે. ગરમી, વેકેશન અને લગ્નસરા ત્રણ પરિબળો મતદાનને અસર કરી શકે છે. 2021માં 32 ડિગ્રી તાપમાને 49% મતદાન થયું હતું. આ વખતે 40 ડિગ્રીની આગાહી છે. ત્યારે સૌરાષ્ટ્ર સમાચાર નાગરિકોને અપીલ કરે છે કે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણીને સાર્થક કરીએ.
ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણી 2026: ગરમી, વેકેશન અને લગ્ન વચ્ચે મતદાન વધારવું એક પડકાર.
રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતા રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા.
RBIએ રૂપિયાની અસ્થિરતાને રોકવા ઓફશોર NON-DELIVERABLE FORWARDS MARKET (NDF)માં ફોરેક્સ ડીલરો પરના નિયંત્રણો હટાવ્યા. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ નિયંત્રણો કાયમ માટે રહેશે નહીં. અધિકૃત ડીલરો હવે રૂપિયા સાથે જોડાયેલા NON-DELIVERABLE DERIVATIVE CONTRACTS ની ઓફર નિવાસી કે બિન-નિવાસી વપરાશકર્તાઓ માટે પ્રતિબંધિત કરવાની જરૂર રહેશે નહીં. તેઓ વપરાશકર્તાને રૂપિયા સાથે સંકળાયેલા કોઈપણ વિદેશી ચલણ DERIVATIVE CONTRACTને ફરીથી બુક કરવાની પણ મંજૂરી આપી શકે છે.
રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતા રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા.
ધંધૂકા હત્યા કેસના આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી થશે.
ધંધૂકા હત્યા કેસમાં આજે આરોપીઓના ગેરકાયદે કબજા પર બુલડોઝર કાર્યવાહી થશે, પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ધર્મેશ ગમારા હત્યા કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરી ઘટનાની સંપૂર્ણ વિગતો બહાર લાવવા પ્રયાસ કરવામાં આવશે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
ધંધૂકા હત્યા કેસના આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી થશે.
મોહન ભાગવતની 'ઝેડ પ્લસ' સુરક્ષા કવચ અંગે વિવાદ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને મોહન ભાગવતને અપાયેલી 'ઝેડ પ્લસ' સુરક્ષાના ખર્ચ મુદ્દે મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદાર લાલન કિશોર સિંહની માંગ છે કે આ સુરક્ષાનો માસિક આશરે ₹40 થી 45 લાખનો ખર્ચ સરકારી તિજોરીને બદલે સંબંધિત વ્યક્તિ પાસેથી વસૂલવો જોઈએ. અરજીમાં દલીલ કરાઈ છે કે કરદાતાઓના પૈસાનો આ રીતે ઉપયોગ એ જાહેર ભંડોળનો દુરુપયોગ છે. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને ટાંકીને આ મામલે તાત્કાલિક વસૂલાતની માંગ કરાઈ છે.
મોહન ભાગવતની 'ઝેડ પ્લસ' સુરક્ષા કવચ અંગે વિવાદ.
મુંબઈ ઝૂંપડપટ્ટી પરિસરમાં શૌચાલયની સ્વચ્છતા માટે 5 નવા વાહન
મુંબઈ મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગે ઝૂંપડપટ્ટી વિસ્તારના સાર્વજનિક શૌચાલયોની સફાઈ માટે 2 કરોડના ખર્ચે પાંચ નવા આધુનિક વાહનો ખરીદવાનો નિર્ણય લીધો છે. જૂના વાહનોની આઠ વર્ષની મર્યાદા પૂર્ણ થતા ટૂંક સમયમાં નવા વાહનો કાફલામાં સામેલ થશે, જેનાથી સ્વચ્છતા અભિયાન વધુ કાર્યક્ષમ બનશે. જોકે, મુંબઈના વિશાળ વિસ્તારને જોતા માત્ર પાંચ વાહનો અપૂરતા હોવાથી, દરેક વહીવટી વોર્ડ દીઠ એક અલગ વાહન ફાળવવાની માંગ પણ ઉઠી છે, જેથી ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય.
મુંબઈ ઝૂંપડપટ્ટી પરિસરમાં શૌચાલયની સ્વચ્છતા માટે 5 નવા વાહન
DRI દ્વારા મુંબઈમાં આશરે 209 કરોડના કલીંગડ બીજ, વટાણા અને Chinese ફટાકડા જપ્ત.
DRIએ ન્હાવા શેવા બંદર પર કાર્યવાહી કરી 139 કરોડના કલીંગડ બીજ અને વટાણાની દાણચોરી પકડી, ડાયરેક્ટરની ધરપકડ થઈ. બીજા કેસમાં 70 કરોડના Chinese ફટાકડા જપ્ત કર્યા. તુવેર દાળની આડમાં કલીંગડ બીજ તાન્ઝાનિયા અને સુદાનથી મંગાવ્યા હતા. "ઓપરેશન પાયરો હિસ્ટ"માં 70 મે.ટન ફટાકડા મળ્યા. કન્ટેઈનરોમાંથી માલ બદલતી વખતે આરોપી પકડાયા.
DRI દ્વારા મુંબઈમાં આશરે 209 કરોડના કલીંગડ બીજ, વટાણા અને Chinese ફટાકડા જપ્ત.
ઉત્તન-વિરાર સીલિન્ક દ્વારા નરિમાન પોઈંટથી સીધા વિરાર-પાલઘર
મુંબઈના નરિમાન પોઈન્ટથી વિરાર-પાલઘર સુધીના પ્રવાસને ઝડપી બનાવવા રાજ્ય સરકારે ૫૫.૧૨ કિલોમીટર લાંબા 'ઉત્તન-વિરાર સીલિન્ક' પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ ૮ લેનનો સીલિન્ક અટલ સેતુથી પણ લાંબો હશે, જેના માટે મે ૨૦૨૬થી ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે. અંદાજે ₹૫૮,૭૫૪ કરોડના ખર્ચે બનનારા આ રોડથી ૯૦ મિનિટની મુસાફરી માત્ર ૩૦-૪૦ મિનિટમાં પૂર્ણ થશે. જોકે, આ પ્રોજેક્ટના કારણે ૧૦૦ હેક્ટર મેન્ગ્રોવ્ઝને અસર થશે. આ સીલિન્ક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ઉત્તન-વિરાર સીલિન્ક દ્વારા નરિમાન પોઈંટથી સીધા વિરાર-પાલઘર
મહારાષ્ટ્રમાં ગેસની અછત અંગે ચિંતા.
JEE મેઈન: AIR 16 અને 100 PR સાથે રાજકોટનો નિમય પુરોહિત ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો.
રાજકોટના નિમય પુરોહિતે JEE મેઈનમાં AIR 16 અને 100 પર્સેન્ટાઈલ મેળવી ગુજરાતમાં ટોપ કર્યું. NTA દ્વારા જાહેર પરિણામમાં સૌરાષ્ટ્રના આ વિદ્યાર્થીએ શૈક્ષણિક ક્ષેત્રે ધાક જમાવી છે. નિમયે બે સત્રની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓમાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તેના માતા-પિતા ડોક્ટર હોવા છતાં, નિમયે એન્જિનિયરિંગમાં રુચિ દાખવી. તેણે સોશિયલ મીડિયાથી દૂર રહીને IIT મુંબઈમાં અભ્યાસ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ગુજરાતમાંથી એકમાત્ર નિમયે 100 PR મેળવ્યા.
JEE મેઈન: AIR 16 અને 100 PR સાથે રાજકોટનો નિમય પુરોહિત ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો.
ભાજપને વહાલા થવા માટે સ્કૂલ સંચાલકોની ચેષ્ટા.
રાજકોટની ઈનોવેટિવ સ્કૂલના સંચાલકો દ્વારા ભાજપના પ્રચાર માટે શિક્ષિકાઓના મોબાઈલ નંબરનો દુરુપયોગ કરવાની શરમજનક ઘટના સામે આવી છે. સંચાલક નિરેન જાની અને અન્ય ભાગીદારોએ શિક્ષિકાઓના ફોન જમા કરાવી, તેમની જાણ બહાર અજાણ્યા લોકો અને વાલીઓને ચૂંટણી પ્રચારના મેસેજ મોકલ્યા હતા. આ હલકી કક્ષાની રાજનીતિથી સ્તબ્ધ થયેલી શિક્ષિકાઓને મૌન રહેવા દબાણ કરાયું હતું. ભાજપના ઉમેદવાર સાથે ધંધાકીય ભાગીદારી હોવાને કારણે મહિલા કર્મચારીઓની ગોપનીયતાના ભોગે આ પ્રકારે પ્રચાર કરવામાં આવતા વાલીઓ અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.