જુવાર, બાજરી, મકાઈ ખરીદીમાં ઘટાડો: ખેડૂતોની આંદોલનની ચીમકી
જુવાર, બાજરી, મકાઈ ખરીદીમાં ઘટાડો: ખેડૂતોની આંદોલનની ચીમકી
Published on: 05th June, 2026

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની ખરીદીની પોલિસીમાં અચાનક ફેરફાર થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ નોંધણી કરાવ્યા બાદ, હવે ખરીદી સમયે પ્રતિ ખેતર મર્યાદા (બાજરી ૨૦૦૦ કિલો, જુવાર ૧૦૦૦ કિલો, મકાઈ ૧૫૦૦ કિલો) લાદવામાં આવતાં તેમને મોટો ફટકો પડ્યો છે. ડભોઈ અને કરજણના ખેડૂતોએ તાત્કાલિક આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, આરોપ લગાવ્યો છે કે આ નિર્ણય વેપારીઓને ફાયદો કરાવવા માટે છે.