હિંમતનગર: નવાનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપણનો સંકલ્પ
હિંમતનગર: નવાનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપણનો સંકલ્પ
Published on: 06th June, 2026

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના નવાનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ વિભાગ તથા જિલ્લા પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં પ્રકૃતિના જતન-સંવર્ધન માટે સામૂહિક વૃક્ષારોપણનો સંકલ્પ લેવાયો. નવાનગર તળાવ પાળે પરંપરાગત અને સ્વદેશી વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા, જેમાં લીમડો, આંબો, ભદ્રાક્ષ જેવા પર્યાવરણ માટે ઉપયોગી છોડવાઓનો સમાવેશ થાય છે. સાંસદ, કલેક્ટર, SP સહિત મહાનુભાવોએ પણ વૃક્ષારોપણ કરી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.