છોટાઉદેપુર: નસવાડી CHC ગઢબોરિયાદમાં ૨૦૦ વૃક્ષોનું વાવેતર, પર્યાવરણ જાગૃતિ ફેલાવાઈ
છોટાઉદેપુર: નસવાડી CHC ગઢબોરિયાદમાં ૨૦૦ વૃક્ષોનું વાવેતર, પર્યાવરણ જાગૃતિ ફેલાવાઈ
Published on: 06th June, 2026

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા સ્થિત CHC ગઢબોરિયાદ ખાતે ૨૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળીને પ્રોત્સાહન આપવાનો હતો. CHC ના તબીબી અધિકારી, આરોગ્ય કર્મચારીઓ, વનવિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને વિવિધ સામાજિક વર્ગોના લોકો આ પ્રસંગે જોડાયા હતા. મહાનુભાવોએ પર્યાવરણના ઘટતા જતા સંતુલન અંગે ચિંતા વ્યક્ત કરી વધુ વૃક્ષારોપણ અને તેની જાળવણીની અપીલ કરી.