રૂ. 3.40 લાખ કરોડ સુધી પહોંચી શકે છે ખાતર સબસિડી
રૂ. 3.40 લાખ કરોડ સુધી પહોંચી શકે છે ખાતર સબસિડી
Published on: 11th June, 2026

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ફર્ટિલાઈઝરના ભાવમાં થયેલા નોંધપાત્ર વધારાને પગલે, ભારત સરકારનું ફર્ટિલાઈઝર સબસિડી બિલ વર્તમાન નાણાકીય વર્ષમાં બજેટના અંદાજ કરતાં બમણું થવાની સંભાવના છે. શરૂઆતમાં ૧.૭૦ ટ્રિલિયન રૂપિયાનો અંદાજ મુકાયો હતો. રાજકીય રીતે સંવેદનશીલ હોવાથી, સરકાર ખાતરના ભાવવધારાનો બોજ ખેડૂતો પર નાખી શકતી નથી. તેથી, વધારાનો ખર્ચ સરકાર પોતે ઉઠાવશે, જેના કારણે કુલ બિલ અંદાજ કરતાં બમણું થઈ શકે છે.