અર્જુન બિજલાનીએ મૌની રોય સાથેના અફેરની અફવાને સ્પષ્ટપણે નકારી
અર્જુન બિજલાનીએ મૌની રોય સાથેના અફેરની અફવાને સ્પષ્ટપણે નકારી
Published on: 14th August, 2026

ટેલિવિઝન શો 'નાગિન'માં સાથે કામ કરી લોકપ્રિય થયેલા અભિનેતા અર્જુન બિજલાનીએ અભિનેત્રી મૌની રોય સાથે અફેરની અફવાઓને ફગાવી દીધી છે. બિજલાનીએ જણાવ્યું કે કોઈની સાથે માત્ર ડિનર પર જવાથી અફેર થતું નથી. તેમણે દાવો કર્યો કે કોઈ બદનામીના ઇરાદાથી મૌની વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે. મૌની તાજેતરમાં જ બિઝનેસમેન સૂરજ નાંબિયાર સાથે છૂટાછેડા બાદ ચર્ચામાં આવી હતી. આ અફવાઓ ત્યારે વધુ વેગવંતી બની જ્યારે મૌની અને અર્જુન ફરી સાથે જોવા મળ્યા.