દરેક વખતે બધું સંપૂર્ણ ન હોવું જોઈએ: સારા અલી ખાનની માનસિક સ્વાસ્થ્ય પર વાત
દરેક વખતે બધું સંપૂર્ણ ન હોવું જોઈએ: સારા અલી ખાનની માનસિક સ્વાસ્થ્ય પર વાત
Published on: 21st August, 2026

તાજેતરમાં સારા અલી ખાને પોતાના 31મા જન્મદિવસની ઉજવણી કરી. પોતાની ફિલ્મી થીમ પાર્ટીની તસવીરો શેર કરી જે વાયરલ થઈ. 2027-28માં તેમની કેટલીક ફિલ્મો રિલીઝ થવાની છે. બોલિવૂડના દબાણમાં માનસિક શાંતિ જાળવવા અંગે સારા કહે છે કે બધું જાતે સંભાળવાનો પ્રયાસ કરવો વ્યર્થ છે. શરીરની જેમ મનની કાળજી લેવી પણ જરૂરી છે. લાગણીઓને દબાવવાને બદલે સ્વીકારવી અને જરૂર પડે ત્યારે મદદ માંગવી એ હિંમત છે. માતા સાથે સમય પસાર કરવો, હળવા શો જોવા, ઊંડો શ્વાસ લેવો, રડી લેવું કે આરામ કરવો - આ નાની બાબતો આંતરિક શક્તિ વધારે છે.