જમીન-મિલ્કત વેચાણ દસ્તાવેજના આધારે હક્કપત્રકમાં ફેરફાર કરવા અંગે જમીન મહેસૂલ અધિનિયમમાં સુધારો
જમીન-મિલ્કત વેચાણ દસ્તાવેજના આધારે હક્કપત્રકમાં ફેરફાર કરવા અંગે જમીન મહેસૂલ અધિનિયમમાં સુધારો
Published on: 10th August, 2026

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ અને તેના નિયમોમાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા મુજબ, રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ, જો નિયમોની શરતોને આધીન હોય, તો વેચાણ દસ્તાવેજ થયાના એક વર્ષની અંદર હક્કપત્રકમાં (Record of Rights) નોંધણી અંગેના નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે. જો જમીનમાં તમામ હિતધારકો દ્વારા વેચાણ થયું હોય અને કોઈ તકરાર કે કાયદાકીય કાર્યવાહી પડતર ન હોય, તો ૧૩૫ડી નોટિસ વિના નોંધ પ્રમાણિત કરવાની જોગવાઈ છે. કોર્ટ અથવા સક્ષમ અધિકારીના હુકમથી થતી નોંધણી માટે પણ ૧૩૫ડી નોટિસ આપવાની જરૂર રહેશે નહીં.