મહુવામાં રત્નકલાકારો મજૂરી ભાવ વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા
મહુવામાં રત્નકલાકારો મજૂરી ભાવ વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા
Published on: 25th August, 2026

સતત વધી રહેલી મોંઘવારી અને જીવનનિર્વાહની મુશ્કેલીઓને કારણે મહુવામાં રત્નકલાકારોએ મજૂરીના યોગ્ય અને સારા ભાવની માંગ સાથે હડતાલ પાડી છે. અગાઉ આવેદનપત્ર આપવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં, હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો કારીગરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમની મુખ્ય માંગ છે કે મોંઘવારી સામે ટકી રહેવા માટે હીરા ઘસવાના કામના મહેનતાણામાં યોગ્ય વધારો કરવામાં આવે. આ વિરોધ પ્રદર્શનને કારણે મહુવાના હીરા બજારમાં કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ રહ્યું હતું.