શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’
શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’
Published on: 01st September, 2026

શ્રાવણ માસના શીતળા સાતમ તહેવારમાં પરંપરાગત વાનગીઓ સાથે તૈયાર ફૂડનો ટ્રેન્ડ વધ્યો છે. નવી પેઢીની પસંદગી અને નોકરી-વ્યવસાયના કારણે સમયના અભાવે તૈયાર ફૂડ મંગાવવાનું ચલણ વધ્યું છે. આ બદલાવ નાના કેટરર્સ, ઘરેથી રસોઈ બનાવનારાઓ અને રસોઈયાઓ માટે રોજગારી અને વધારાની આવકનું માધ્યમ બન્યું છે. વિવિધ સમાજની ખાણીપીણીની પસંદગી મુજબના ઓર્ડર મળવાથી આ તહેવાર ઘણા નાના વ્યવસાયો માટે કમાણીનો સારો અવસર બની ગયો છે.