ગુજરાત હાઇકોર્ટ: શિક્ષકોની ભરતી માટે વૈધાનિક નિયમો ઘડવા સૂચના
ગુજરાત હાઇકોર્ટ: શિક્ષકોની ભરતી માટે વૈધાનિક નિયમો ઘડવા સૂચના
Published on: 17th June, 2026

ગુજરાત હાઇકોર્ટે રાજ્યભરની આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતી અને લાભો અંગે સરકારની નિષ્ક્રિયતા પર નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને આશ્રમ શાળાના શૈક્ષણિક સ્ટાફની પસંદગી માટે વૈધાનિક નિયમો ઘડવા ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, સરકારી શાળાઓની જેમ જ યોગ્ય અને લાયક શિક્ષકોની ભરતી થવી જોઈએ. ગેરલાયક શિક્ષકોની ભરતી કરી કોર્ટના આદેશનું પાલન કરવાનો સંતોષ માની શકાય નહીં.