ભારતમાં રોજગારી સંકટ: માત્ર 8% યુવાનોને લાયકાત મુજબ નોકરી
ભારતમાં રોજગારી સંકટ: માત્ર 8% યુવાનોને લાયકાત મુજબ નોકરી
Published on: 28th August, 2026

ભારતમાં લાખો યુવાનો ડિગ્રી મેળવીને પણ યોગ્ય નોકરી મેળવી શકતા નથી. નીતિ આયોગના અહેવાલ મુજબ, માત્ર 8.25% સ્નાતકોને જ તેમની લાયકાત અનુસાર નોકરી મળે છે. આ સમસ્યાનું મુખ્ય કારણ સામાન્ય ડિગ્રીઓ પાછળની આંધળી દોટ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અપૂરતું પ્રેક્ટિકલ જ્ઞાન છે. મોટાભાગના યુવાનો માત્ર પરીક્ષા માટે લઘુતમ લાયકાત મેળવવા અભ્યાસ કરે છે. પુસ્તકિયું જ્ઞાન અને વાસ્તવિક જોબ માર્કેટની જરૂરિયાતો વચ્ચે મોટો તફાવત છે, જેના કારણે યુવાનો ‘Skilled’ નથી.