વલસાડની સગીરા પર દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય યુવાનને 20 વર્ષની કેદની સજા
વલસાડની સગીરા પર દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય યુવાનને 20 વર્ષની કેદની સજા
Published on: 31st July, 2026

વલસાડમાં 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય સાગર સંજયભાઈ પટેલને કોર્ટે 20 વર્ષની સખત કેદ અને રૂ.50 હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, પીડિતાને વિકટીમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂ.3 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આરોપીએ પીડિતાને જુદા જુદા સ્થળોએ લઈ જઈ પાંચથી છ વખત શારીરિક શોષણ કર્યું હતું. ઘટના બહાર આવતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ધરપકડ કરાઈ હતી. કોર્ટે પુરાવા અને જુબાનીના આધારે આ મહત્વનો ચુકાદો આપ્યો છે.