છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદે ખનીજ વહન કરતા 33 વાહનો ઝડપાયા
છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદે ખનીજ વહન કરતા 33 વાહનો ઝડપાયા
Published on: 27th June, 2026

છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. માત્ર 24 કલાકમાં, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ રચાયેલી ખાસ ટીમે વિવિધ સ્થળોએથી 33 વાહનો ઝડપી પાડ્યા. આ ઝડપાયેલા વાહનોમાં 16 ટ્રેક્ટર અને 17 ટ્રકનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટીતંત્ર ગેરકાયદેસર ખનન અને ખનીજ પરિવહન સામે ‘શૂન્ય સહનશીલતા’ની નીતિ અપનાવી રહ્યું છે. આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્રની સક્રિયતા દર્શાવે છે.