વડોદરાની ગોરવા ફેક્ટરીની ચોર પકડાયો
ગોરવા ફેક્ટરીમાંથી ચોરી કરનાર એક રીઢા ગુનેગાર અને તેના સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. પોલીસે ખાસવાડી સ્મશાન પાસે બાઇક પર જતાં દિવ્યાંગ ઉર્ફે નાનુ વિરબહાદૂર રાણા અને તેના સાગરીત અંકિત વિભાકર સેલાતને અટકાવ્યા હતા. તેમની પાસેથી કેમેરાના પાર્ટ્સ અને અન્ય સાધનો મળી આવતાં વધુ તપાસ કરાઇ. તેમણે ગોરવા બીઆઇડીસીની બંધ ફેક્ટરીના પતરાં તોડી પિત્તળના બુસ, કેમેરા સહિતની ચીજો ચોરી હોવાનું બહાર આવ્યું. પોલીસે ૨.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરાની ગોરવા ફેક્ટરીની ચોર પકડાયો
ઓડિશાના પૂર્વ CM મારા કઝીન છે, એમ કહી વડોદરાના વેપારી સાથે રૂ. ૩૨ લાખની ઠગાઇ
વડોદરામાં પેટ્રોકેમિકલ પ્રોડક્ટનું ટ્રેડિંગ કરતા વેપારી વિશાલભાઇ વ્યાસ સાથે દિલ્હીની ZPS Oil-Gas Pvt. Ltd. ના ડિરેક્ટર્સ, આસુતોષ પટનાયક, તપસ રંજન પટનાયક અને રંજીતા પટનાયકે મળીને ઠગાઇ કરી છે. આસુતોષે વિશાલભાઇને જણાવ્યું કે ઓડિશાના પૂર્વ સીએમ નવીન પટનાયક તેના કઝીન છે અને ભારત સરકારના હેલ્થ એડવાઇઝર હોવાનું કહી વિશ્વાસમાં લીધા. ત્યારબાદ ઇન્ડસ્ટ્રિયલ ફ્યુઅલ ઓઇલનો મોટો જથ્થો વેચવાની લાલચ આપી રૂ. ૩૨.૬૪ લાખનું બિલ મોકલી ઠગાઇ આચરવામાં આવી.
ઓડિશાના પૂર્વ CM મારા કઝીન છે, એમ કહી વડોદરાના વેપારી સાથે રૂ. ૩૨ લાખની ઠગાઇ
વડોદરાના અનગઢમાં બેન્ક ઓફ બરોડાનું ATM તોડવાનો નિષ્ફળ પ્રયાસ
બેન્ક ઓફ બરોડા (BOB) ની અનગઢ શાખાનું ATM તોડવાનો પ્રયાસ થયો હતો. રાત્રે ૩.૨૦ કલાકે બે બુકાનીધારી શખ્સ હથોડો લઈને ATM માં પ્રવેશ્યા હતા. તેઓ પૈસા મુકવાના લોખંડના વોલ્ટનો દરવાજો અને લોક તોડવામાં સફળ રહ્યા હતા, પરંતુ અંદરનો બીજો દરવાજો તૂટ્યો ન હતો. ઉપરની હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના જાગી જતાં તેઓ રિક્ષામાં ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.
વડોદરાના અનગઢમાં બેન્ક ઓફ બરોડાનું ATM તોડવાનો નિષ્ફળ પ્રયાસ
વલસાડમાં પૂરન લીધે છીપવાડ ગરનાળાનો રસ્તો ધોવાતાં સ્મશાનનો માર્ગ બંધ
વલસાડ શહેરમાં વિનાશક પૂરે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. છીપવાડ ગરનાળાનો રસ્તો ધોવાઈ જતાં સ્મશાનનો માર્ગ બંધ છે. આ કારણે મૃતકના અંતિમ સંસ્કાર માટે સ્વજનોને તિથલ સ્મશાન સુધી જવું પડે છે, જે એક દુઃખદ અને સંવેદનશીલ પરિસ્થિતિ છે. 23મી જુલાઈથી અત્યાર સુધીમાં તિથલ સ્મશાનમાં 25થી વધુ મૃતદેહોની અંતિમ વિધિ કરાઈ છે. સ્થાનિકોએ ગરનાળાની મરામતની તાત્કાલિક માગ કરી છે.
વલસાડમાં પૂરન લીધે છીપવાડ ગરનાળાનો રસ્તો ધોવાતાં સ્મશાનનો માર્ગ બંધ
સુરત ખાડી પૂરના કાયમી ઉકેલ માટે અત્યાધુનિક ડ્રોન સર્વે શરૂ
સુરતમાં ચોમાસામાં વારંવાર ખાડીનું પાણી શહેરમાં ભરાઈ જવાથી નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે તંત્ર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખાડીનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. હાઈટેક ડ્રોન સર્વે દ્વારા ખાડીના ભૌગોલિક અને હાઇડ્રોલોજિકલ ડેટા એકત્ર કરાશે. LiDAR સર્વેથી ખાડીની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ જેવી વિગતો મેળવી, 3D હાઈડ્રોલોજી મેથેમેટિકલ મોડેલ તૈયાર કરાશે. આ ડેટાના આધારે ક્યાં ખાડી પહોળી કરવી, ડી-સિલ્ટિંગ કરવું, કે પ્રોટેક્શન વોલ બનાવવી જેવી કામગીરી નક્કી કરાશે.
સુરત ખાડી પૂરના કાયમી ઉકેલ માટે અત્યાધુનિક ડ્રોન સર્વે શરૂ
રાજેશ ખન્નાના પ્રખ્યાત બંગલા 'આશીર્વાદ'ને 'ભૂતિયા', 'શાપિત' કે 'અનલકી' કહેવો ભારે પડશે!
બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાના ઐતિહાસિક બંગલા ‘આશીર્વાદ’ને ‘ભૂતિયા’, ‘શાપિત’ અથવા ‘અનલકી’ ગણાવતા અહેવાલો અને યુટ્યુબ વીડિયોઝ સામે બૉમ્બે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. બંગલાના વર્તમાન માલિકે નિરાધાર અને ભ્રામક દાવાઓ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીની સુનાવણી બાદ કોર્ટે મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા ચેનલોને આવા આધારવિહોણા દાવાઓ પ્રસિદ્ધ કે પ્રસારિત કરવા પર મનાઈ ફરમાવતા મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે.
રાજેશ ખન્નાના પ્રખ્યાત બંગલા 'આશીર્વાદ'ને 'ભૂતિયા', 'શાપિત' કે 'અનલકી' કહેવો ભારે પડશે!
પોલીસ લોકઅપમાંથી આરોપીનો વીડિયો વાયરલ!
અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી એક આરોપીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં શાહિદ ઉર્ફે રોબોટ નામનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી લોકઅપની અંદરથી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો છે. વીડિયોમાં તે શંકાસ્પદ ગોળી ગળતો અને અપશબ્દો બોલતો દેખાય છે, તેમજ બહારથી ભોજન મંગાવવાની વાત કરતો સંભળાય છે. આ ઘટનાએ પોલીસની સુરક્ષા વ્યવસ્થા અને બેદરકારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. PI અનુસાર, આ વીડિયો 7 જુલાઈનો છે અને પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ લોકઅપમાંથી આરોપીનો વીડિયો વાયરલ!
બે વર્ષથી ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
જામનગર શહેરમાં બે વર્ષ પહેલાં ગુમ થયેલા યુવાનના પ્રકરણમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસ મુજબ, મૃતકની પત્ની પૃથ્વી માવદીયા અને તેના પ્રેમી નિલેશ કછેટીયાએ મળીને આયોજનપૂર્વક જીગ્નેશની હત્યા કરી હતી. દારૂમાં સાયનાઇડ ભેળવીને તેને પીવડાવી દેવાયો હતો. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને દરેડ વિસ્તારમાં આવેલા કારખાનામાં 12 થી 15 ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવાયો હતો. પત્નીએ પરિવારજનોને બે વર્ષ સુધી ગેરમાર્ગે દોરી હતી. પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બે વર્ષથી ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'!
ગુજરાતમાં ચૂંટાયેલી મહિલાઓના બદલે તેમના પતિઓ દ્વારા વહીવટ ચલાવવાની પ્રથા સામાન્ય છે, પરંતુ પાટણ જિલ્લાની ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં આ 'પતિરાજ' લોકોને ભારે પડ્યું છે. હારીજમાં વરસાદી પાણીના નિકાલના અભાવે અને ભ્રષ્ટાચારના મુદ્દે ત્રસ્ત લોકોએ નગરપાલિકાના મહિલા હોદ્દેદારોના પતિઓનો જાહેરમાં ઘેરાવ કર્યો હતો. સ્થાનિકોએ આ પતિઓને પાણીની સમસ્યા મુદ્દે પ્રશ્નો પૂછ્યા અને પાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'!
ગુજરાતમાં 31 જુલાઇએ 8 જિલ્લામાં રેડ એલર્ટ, પૂરના સંકટ અંગે તંત્ર સજ્જ
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની આગાહીને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. 31 જુલાઈના રોજ અમદાવાદ, સુરત સહિત 8 જિલ્લાઓમાં ભારે વરસાદના રેડ એલર્ટને ધ્યાને રાખીને ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક યોજાઈ હતી. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં તમામ વિભાગોને એલર્ટ રહીને બચાવ કામગીરી માટે સાધનો અને ટીમોનું મેપિંગ કરવા સૂચના અપાઈ છે. 31 જુલાઇએ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં 31 જુલાઇએ 8 જિલ્લામાં રેડ એલર્ટ, પૂરના સંકટ અંગે તંત્ર સજ્જ
ગુજરાતના 8 જિલ્લામાં 31 જુલાઈએ અત્યંત ભારે વરસાદનું રેડ ઍલર્ટ
હવામાન વિભાગે 31 જુલાઈએ ગુજરાતના 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ ઍલર્ટ રહેશે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. 1 ઑગસ્ટે ઉત્તર ગુજરાતમાં ઑરેન્જ ઍલર્ટ રહેશે. ભારે પવન અને વરસાદને કારણે થતા નુકસાન અટકાવવા હોર્ડિંગ્સ અને જર્જરિત બિલ્ડિંગો હટાવવા સૂચના અપાઈ છે. કાચા મકાનો અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ખાસ ધ્યાન અપાશે. નાગરિકોની સુરક્ષા માટે NDRF, SDRF, કોસ્ટગાર્ડ અને આર્મી સજ્જ છે.
ગુજરાતના 8 જિલ્લામાં 31 જુલાઈએ અત્યંત ભારે વરસાદનું રેડ ઍલર્ટ
જામનગરમાં ગુરુપૂર્ણિમાએ 10 ફૂટનો મહાકાય રોટલો બનાવી સ્થાપ્યો રેકોર્ડ
જામનગરના શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ભોજલધામ (ફતેપુર) ખાતે 10 ફૂટ વ્યાસનો વિશાળ બાજરાનો રોટલો તૈયાર કરી સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાને અર્પણ કરાયો. આ અનોખા ધાર્મિક સેવા કાર્ય સાથે સંસ્થાએ વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા નવા કીર્તિમાન સાથેનું સર્ટિફિકેટ એનાયત કરાયું છે. અગાઉ 7 ફૂટના રોટલાનો રેકોર્ડ ધરાવતી સંસ્થાએ આ પરંપરા આગળ વધારી છે. મુખ્ય ઉદ્દેશ શ્રદ્ધા વ્યક્ત કરવા સાથે અન્નદાન, સેવાભાવ અને ભારતીય સંસ્કૃતિનો મેસેજ પહોંચાડવાનો છે.
જામનગરમાં ગુરુપૂર્ણિમાએ 10 ફૂટનો મહાકાય રોટલો બનાવી સ્થાપ્યો રેકોર્ડ
રાજકોટને હાઈકોર્ટની બેન્ચ આપવાની માગ ફરી ઉગ્ર બની!
રાજકોટમાં ગુજરાત હાઇકોર્ટની બેંચ શરૂ કરવાની વર્ષો જૂની માંગ ફરી તેજ બની છે. આ મુદ્દે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બાર એસોસિએશનોએ એક દિવસની પ્રતીક હડતાળ પાળી અને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી આવેદનપત્ર આપ્યું. વકીલોનું કહેવું છે કે હાઇકોર્ટની બેંચ રાજકોટમાં શરૂ થતાં સૌરાષ્ટ્ર-કચ્છના કરોડો લોકોને ન્યાય મેળવવામાં સરળતા રહેશે. માંગ સ્વીકારવામાં નહીં આવે તો વેપારી સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને સ્થાનિક પ્રજાને સાથે રાખી આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે.
રાજકોટને હાઈકોર્ટની બેન્ચ આપવાની માગ ફરી ઉગ્ર બની!
ગુજરાતમાં ખરીફ સિઝનનું 70 ટકા વાવેતર
ગુજરાતમાં ખરીફ સિઝન-2026 દરમિયાન સારા વરસાદને કારણે અત્યાર સુધીમાં આશરે 70 ટકા એટલે કે 59.26 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે. કપાસ (20 લાખ હેક્ટર) અને મગફળી (17.50 લાખ હેક્ટર)નું વાવેતર સૌથી વધુ રહ્યું છે, જે ખેડૂતોનો રોકડિયા અને તેલીબિયાં પાકો તરફનો ઝુકાવ દર્શાવે છે. સોયાબીનનું 99 ટકા, મગફળીનું 91 ટકા અને મકાઈનું 90 ટકા વાવેતર પૂર્ણ થયું છે. કઠોળ, ડાંગર, ઘાસચારો અને શાકભાજીના વાવેતરમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે.
ગુજરાતમાં ખરીફ સિઝનનું 70 ટકા વાવેતર
લાયસન્સ, હેલ્મેટ વગરના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ નહીં, અમદાવાદ DEOનો કડક આદેશ.
અમદાવાદ DEOએ રોડ સેફ્ટી અને સગીર વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કડક પગલાં ભર્યા છે. 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ લાયસન્સ અને હેલ્મેટ વિના વાહન ચલાવી શકશે નહીં અને આવા વિદ્યાર્થીઓને શાળા પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. શાળાઓને નિયમ ભંગ કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવા અને રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમો યોજવાની સૂચના અપાઈ છે. શાળાઓમાં નિષ્ણાતો અથવા RTO અધિકારીઓને બોલાવી ટ્રાફિક નિયમો વિશે માહિતગાર કરવાના રહેશે.
લાયસન્સ, હેલ્મેટ વગરના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ નહીં, અમદાવાદ DEOનો કડક આદેશ.
સુરતના રાવણ તાડ વડની વડવાઈ પર કુંવારિકાઓના અલુણા હીંચકે ભૂતકાળ જીવંત
સુરત શહેરમાં સમયની સાથે અનેક પરિવર્તનો આવ્યા છે, પરંતુ જૂના શહેરના કોટ વિસ્તારમાં શહેરની જૂની સંસ્કૃતિ આજે પણ જીવંત છે. અષાઢી મેઘ મહેર સાથે શરૂ થતા કુંવારિકાઓના પ્રિય અલુણાના દિવસો તેનું ઉત્તમ ઉદાહરણ છે. રૂસ્તમપુરાના રાવણ તાડ પાસે વડની વડવાઈ પર બંધાયેલા હીંચકે ઝૂલતી કુંવારિકાઓનું દ્રશ્ય સુરતના ભૂતકાળ અને તેની સાંસ્કૃતિક વારસાને ફરી જીવંત કરી રહ્યું છે. આ પરંપરા સારા જીવનસાથીની મનોકામના સાથે કરાતા અલુણા વ્રતનો એક ભાગ છે.
સુરતના રાવણ તાડ વડની વડવાઈ પર કુંવારિકાઓના અલુણા હીંચકે ભૂતકાળ જીવંત
હાર્દિક પટેલે ખેડૂતોના પાક નુકશાન માટે મુખ્યમંત્રીને લખ્યો પત્ર!
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને અતિવૃષ્ટિ અને પૂરના કારણે થયેલ પાક નુકશાની અંગે તાત્કાલિક પાક સર્વે અને રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. ભારે વરસાદથી ખેતીની જમીનો, ઉભા પાક, ઘરો અને જાહેર મિલકતોને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે. ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ અને શ્રમિક વર્ગ ગંભીર આર્થિક સંકટમાં છે. હાર્દિક પટેલે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, ખેડૂતોને ઉદાર વળતર, બિયારણ સહાય, નાના વેપારીઓને આર્થિક મદદ, આરોગ્ય સુવિધાઓ અને જાહેર સુવિધાઓના પુનઃસ્થાપનની પણ રજૂઆત કરી છે.
હાર્દિક પટેલે ખેડૂતોના પાક નુકશાન માટે મુખ્યમંત્રીને લખ્યો પત્ર!
NEET-UG 2026 પેપર લીકકેસમાં CBI ની 20 હજાર પાનાની ચાર્જશીટ
NEET-UG 2026 પેપર લીક કેસમાં CBI એ 20 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 13 આરોપીઓ સામે આરોપો મૂકવામાં આવ્યા છે, જેમાં NTAના તજજ્ઞો અને કોચિંગ સંસ્થાના લોકોની ધરપકડ સામેલ છે. 92 સ્થળોએ રેડ અને 360 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. જાહેર પરીક્ષા અધિનિયમ હેઠળ પણ કાર્યવાહી થઈ છે. કોર્ટે ચાર્જશીટ રેકોર્ડ પર લીધી છે અને આગામી સુનાવણી 3 ઓગસ્ટે થશે. આ કેસ દેશના સૌથી મોટા પરીક્ષા કૌભાંડોમાંનો એક બન્યો છે.
NEET-UG 2026 પેપર લીકકેસમાં CBI ની 20 હજાર પાનાની ચાર્જશીટ
રૂ. 5 કરોડના ખર્ચે બનેલા નાળાની સુરક્ષા જાળી હટાવી તંત્રની બેદરકારી
વડોદરા કોર્પોરેશ દ્વારા ડભોઈ રોડ પર રૂ. 5 કરોડના ખર્ચે મહાનગર નાળાની સફાઈ અને નવી પાઇપલાઇનનું કામ થયા બાદ અધિકારીઓએ કચરો રોકવા લગાવેલી સુરક્ષા જાળી હટાવી દીધી છે. કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષીએ આક્ષેપ કર્યો કે આ ગંભીર બેદરકારીને કારણે નાળું ફરી ચોકઅપ થઈ જશે, જેનાથી કરદાતાના નાણાંનો વ્યય થશે. 30 વર્ષ બાદ થયેલા આ કાર્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે, અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ છે.
રૂ. 5 કરોડના ખર્ચે બનેલા નાળાની સુરક્ષા જાળી હટાવી તંત્રની બેદરકારી
અમદાવાદ પ્લેન ક્રેશમાં સરકારનો ખુલાસો: "ફ્યુલ કન્ટ્રોલ સ્વિચમાં ખામી નહોતી"
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં છે. સંસદમાં સરકારે જણાવ્યું કે ફ્યુઅલ કન્ટ્રોલ સ્વિચ લોકિંગ મિકેનિઝમમાં કોઈ ખામી મળી નથી. જોકે, થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની તપાસ અમેરિકામાં ચાલી રહી છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું કે મોટા વિમાન અકસ્માતોની તપાસમાં કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી હોતી. AAIBના રિપોર્ટમાં વિલંબ નથી. સુપ્રીમ કોર્ટે પણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી માહિતી ગોપનીય રાખવાનો આદેશ આપ્યો છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં સરકારનો ખુલાસો: "ફ્યુલ કન્ટ્રોલ સ્વિચમાં ખામી નહોતી"
વીરપુરના જલારામ ધામમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે વીરપુર સ્થિત સુપ્રસિદ્ધ જલારામ ધામ ખાતે ભક્તોનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો. દેશ-વિદેશથી હજારો ભાવિકો પૂજ્ય સંત શ્રી જલારામબાપાના દર્શન અને ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વીરપુર "જય જલારામ"ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સંત શ્રી જલારામબાપાના ધામનું ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું પૂજન પણ કરવામાં આવ્યું.
વીરપુરના જલારામ ધામમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
ગર્લફ્રેન્ડ સાથે વાત નહિ કરવાનું કહેતા પતિએ ગુસ્સે ભરાઈ માર માર્યો
શહેરના મવડી વિસ્તારમાં એક પરિણીતાને તેના પતિ દ્વારા છેલ્લા કેટલાક સમયથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. લગ્નના સાત વર્ષ બાદ પતિની પ્રેમિકા જીનલ સાથેના સંબંધો જાહેર થતાં પરિસ્થિતિ વણસી હતી. જ્યારે પત્નીએ પ્રેમિકા સાથે વાત નહિ કરવા કહ્યું ત્યારે પતિ ગુસ્સે ભરાઈને માર મારવા લાગ્યો. આખરે કંટાળીને પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ગર્લફ્રેન્ડ સાથે વાત નહિ કરવાનું કહેતા પતિએ ગુસ્સે ભરાઈ માર માર્યો
ડેટિંગ એપ પર Swipe કરતા પહેલા મહિલાઓએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ
આજકાલ ડેટિંગ એપ્સ માત્ર ઓળખાણનું નહીં, પણ જીવનસાથી શોધવાનું પ્લેટફોર્મ બની ગયું છે. મહિલાઓ માટે અજાણ્યા વ્યક્તિને મળવા કરતાં એપ પર વાતચીત શરૂ કરવી વધુ સુરક્ષિત લાગે છે. પરંતુ ડેટિંગ એપની કાર્યપદ્ધતિ, તેના જોખમો અને પોતાની સુરક્ષા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે જાણવું અત્યંત જરૂરી છે. એપ તમારા દરેક Swipe, Pause અને Message પર નજર રાખીને પ્રોફાઇલ નક્કી કરે છે. પોતાની વ્યક્તિગત માહિતી જેમ કે અટક, ઓફિસનું નામ અને ચોક્કસ રહેઠાણ શરૂઆતમાં ન આપવું. નકલી પ્રોફાઇલ ઓળખવા માટે Video Call અને Reverse Image Search કરવું.
ડેટિંગ એપ પર Swipe કરતા પહેલા મહિલાઓએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ
ભિલાડના બોરલાઇમાં પૂરથી 70 પશુઓના મોત
વલસાડના બોરલાઇ ગામમાં પૂરના કારણે તબેલામાં બાંધેલી 80 ભેંસો પાણીમાં ડૂબી જતાં મોતને ભેટી હતી. પશુ માલિકની બેદરકારીને કારણે મૃત પશુઓને વાડીમાં ખાડો ખોદી દાટી દેવાયા હતા. હવે મૃતદેહોમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધને કારણે ગામલોકો પરેશાન છે અને આરોગ્ય જોખમમાં મુકાયું છે. સ્થાનિક તંત્રએ હવે મૃત પશુઓના યોગ્ય દફન માટે કવાયત હાથ ધરી છે.
ભિલાડના બોરલાઇમાં પૂરથી 70 પશુઓના મોત
પંચમહાલમાં સાપના ડંખે 60 વર્ષીય વૃદ્ધનો જીવ લીધો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઝોઝ ગામમાં 60 વર્ષીય રંગીતભાઈ ફતાભાઈ પગીનું સાપ કરડવાથી દુઃખદ અવસાન થયું છે. પોતાના ઘરની અંદર કામ કરતી વખતે ઝેરી સાપે તેમને ડંખ માર્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી ગોધરા હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ તબીબોના પ્રયાસો છતાં તેમનું મોત નીપજ્યું. આ અણધારી ઘટનાથી પરિવાર અને ગામમાં શોક છવાયો છે.
પંચમહાલમાં સાપના ડંખે 60 વર્ષીય વૃદ્ધનો જીવ લીધો
પાવાગઢ રોપ-વે 5 દિવસ બંધ!
પંચમહાલના પ્રસિદ્ધ પાવાગઢ તીર્થધામ ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. ઉષા બેક્રો કંપની દ્વારા સંચાલિત પાવાગઢ રોપ-વે આગામી 5 દિવસ માટે જાળવણી કાર્ય માટે બંધ રહેશે. સુરક્ષા અને ટેકનિકલ મરામતની કામગીરી માટે આ નિર્ણય લેવાયો છે. 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી રોપ-વે સેવા સંપૂર્ણ બંધ રહેશે. આ દરમિયાન કેબલ કારની સુરક્ષા તપાસ અને મશીનરીનું ઓવરહોલિંગ કરાશે. યાત્રિકોની સુરક્ષા સર્વોચ્ચ છે. 8 ઓગસ્ટથી રોપ-વે સેવા ફરી શરૂ થશે.
પાવાગઢ રોપ-વે 5 દિવસ બંધ!
75 મીટર રીંગરોડ પ્રોજેક્ટ: ભાયલી વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ
વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જાહેર કરાયેલા 75 મીટર રીંગરોડ પ્રોજેક્ટમાં વર્ષોના વિલંબ બાદ હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાયલી વિસ્તારના ટીપી-24 હેઠળ આવતા સેવાસી, મહાપુરા, ખાનપુર અને અંકોડિયા ગામોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મ્યુનિસિપલ હદમાં આવતા અંદાજે 15 જેટલા ખેતરોમાં ફેન્સિંગ, વાડ, ઓરડી અને કમ્પાઉન્ડ વોલ જેવા દબાણો દૂર થઈ રહ્યા છે. આ કામગીરીમાં અનેક વિભાગો જોડાયા છે. રીંગરોડ પૂર્ણ થવાથી ટ્રાફિક ભીડ ઘટશે, પરંતુ કાયદાકીય ગૂંચવણો અને સંકલનના અભાવે થયેલા વિલંબથી તંત્રના આયોજન પર સવાલો ઉઠી રહ્યા છે.
75 મીટર રીંગરોડ પ્રોજેક્ટ: ભાયલી વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ
વરસાદ બાદ રસ્તા સમારકામ શરૂ, પરંતુ કામગીરી પર સવાલો ઊભા થયા
વડોદરા શહેરમાં વરસાદે વિરામ લેતાં મ્યુનિસિપલ કોર્પોરેશને ખખડધજ રોડ-રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી છે. મ્યુનિસિપલ કમિશનરે સ્થળ મુલાકાત લઈ પેચવર્ક અને સમારકામનું નિરીક્ષણ કર્યું. જોકે, દર ચોમાસે એકસરખી સ્થિતિ સર્જાતી હોવા છતાં માત્ર સમારકામથી સમસ્યાનો ઉકેલ નહીં આવે તેવી ચર્ચા વચ્ચે તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. રસ્તાની કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે કોન્ટ્રાક્ટરો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ નાગરિકો આ દાવા સાથે સહમત નથી.
વરસાદ બાદ રસ્તા સમારકામ શરૂ, પરંતુ કામગીરી પર સવાલો ઊભા થયા
95 વર્ષીય વૃદ્ધના કેરટેકરે બોગસ સહી કરી 1.20 લાખ ઉપાડ્યા
વડોદરામાં એક 95 વર્ષીય સિનિયર સિટીઝનના કેરટેકરે વૃદ્ધના બેંક ખાતામાંથી બોગસ સહી કરીને 1.20 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જોકે, વૃદ્ધના પુત્રની સતર્કતાને કારણે તેના પિતાના ખાતામાંથી વધુ 22 લાખ રૂપિયા ઉપાડવાના પ્રયાસને રોકી શકાયો હતો. પોલીસે કેરટેકર અનિલ અંબાલાલ મકવાણા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના દિવાળીપુરા વિસ્તારમાં બની છે.
95 વર્ષીય વૃદ્ધના કેરટેકરે બોગસ સહી કરી 1.20 લાખ ઉપાડ્યા
એપસ્ટિન ફાઈલ ફરી ચર્ચામાં, 2000થી વધુ વખત નામ આવનાર વ્યક્તિનું મોત
જેફરી એપસ્ટીન નેટવર્ક સાથે જોડાયેલા મોડેલ સ્કાઉટ ડેનિયલ સિયાડ ફ્રાન્સમાં પોતાના ઘરે મૃત હાલતમાં મળ્યા છે. અમેરિકન ન્યાય વિભાગની એપસ્ટીન ફાઇલોમાં તેમનું નામ 2,000થી વધુ વખત નોંધાયું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ અને તપાસ ચાલી રહી છે. સિયાડે એપસ્ટીન સાથે સંપર્ક હોવાની વાત સ્વીકારી હતી, પરંતુ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણીનો ઇનકાર કર્યો હતો. ફાઇલોમાં મોડેલ્સ સંબંધિત ઈમેઈલ, માનવ તસ્કરી અને દુષ્કર્મના આરોપોનો પણ ઉલ્લેખ છે, જેની તપાસ યથાવત છે.
એપસ્ટિન ફાઈલ ફરી ચર્ચામાં, 2000થી વધુ વખત નામ આવનાર વ્યક્તિનું મોત
સુરતવાસીઓનો આક્રોશ: ખાડી પૂરનું કાયમી નિવારણ કરો, નહીંતર જંતર મંતર આંદોલન
સુરતના પરવત પાટિયાના રહેવાસીઓ વર્ષોથી ચોમાસામાં ખાડી પૂરનો ભોગ બની રહ્યા છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થાય છે. દર વર્ષે તંત્ર માત્ર સમિતિઓ રચીને બેસી રહે છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ લાવતું નથી. સરકાર સિંધુ નદીનું પાણી રોકવાની વાત કરે છે, પરંતુ સુરતની ખાડીનું પાણી રોકવામાં કેમ નિષ્ફળ જાય છે તેવો સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ જંતર-મંતર જેવા મોટા આંદોલન માટે તૈયાર છે.