સુરતવાસીઓનો આક્રોશ: ખાડી પૂરનું કાયમી નિવારણ કરો, નહીંતર જંતર મંતર આંદોલન
સુરતવાસીઓનો આક્રોશ: ખાડી પૂરનું કાયમી નિવારણ કરો, નહીંતર જંતર મંતર આંદોલન
Published on: 29th July, 2026

સુરતના પરવત પાટિયાના રહેવાસીઓ વર્ષોથી ચોમાસામાં ખાડી પૂરનો ભોગ બની રહ્યા છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થાય છે. દર વર્ષે તંત્ર માત્ર સમિતિઓ રચીને બેસી રહે છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ લાવતું નથી. સરકાર સિંધુ નદીનું પાણી રોકવાની વાત કરે છે, પરંતુ સુરતની ખાડીનું પાણી રોકવામાં કેમ નિષ્ફળ જાય છે તેવો સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ જંતર-મંતર જેવા મોટા આંદોલન માટે તૈયાર છે.