જામનગર-કાલાવડ રાજકોટ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવાર યુવાનનું કરુણ મોત
જામનગર-કાલાવડ રાજકોટ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવાર યુવાનનું કરુણ મોત
Published on: 10th August, 2026

જામનગર નજીક કાલાવડ રોડ પર પુરઝડપે અને બેફિકરાઇથી ચાલતી એક અજાણ્યા વાહને મોટરસાઇકલને ટક્કર મારતાં 32 વર્ષીય લક્ષ્મણભાઇ ચૌહાણ નામના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું. સસરાની તબિયત જોવા જઈ રહેલા લક્ષ્મણભાઇને માથા તથા પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ અજાણ્યો ચાલક ફરાર થઈ ગયો હતો. પરિવારજનોને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તેમને સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા. મૃતકના પિતાએ અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે.