જૂનાગઢની નોબલ આયુર્વેદ કોલેજના ફેકલ્ટી અને ટ્રસ્ટીના ઘરે CBIની સર્ચ
જૂનાગઢની નોબલ આયુર્વેદ કોલેજના ફેકલ્ટી અને ટ્રસ્ટીના ઘરે CBIની સર્ચ
Published on: 28th August, 2026

જૂનાગઢની નોબલ આયુર્વેદ કોલેજના ટ્રસ્ટી અને ફેકલ્ટીની દિલ્હીમાં લાંચ ઓફર કરવાના કેસમાં ધરપકડ બાદ સીબીઆઈની ટીમ જૂનાગઢ આવી છે. આ ટીમ કોલેજમાં ૧૩ ભૂતિયા શિક્ષકો દર્શાવવાના કૌભાંડની તપાસ કરી રહી છે. કોલેજના ફેકલ્ટી ડો. અભય નલાવડેએ તપાસકર્તા ડો. રૂપાલી મહાડીકને ૧૦ લાખની લાંચ ઓફર કરી હતી, જે બાદ સીબીઆઈ દ્વારા બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. હાલમાં, સીબીઆઈ આરોપીઓના ઘરે સર્ચ કરી રહી છે અને આંગડિયા મારફતે મોકલાયેલા પૈસાના સ્ત્રોતની પણ તપાસ કરી રહી છે.