અમદાવાદમાં મીઠાઈ-ફરસાણની દુકાનો પર ટેસ્ટિંગ કિટ ફરજિયાત
અમદાવાદમાં મીઠાઈ-ફરસાણની દુકાનો પર ટેસ્ટિંગ કિટ ફરજિયાત
Published on: 28th August, 2026

અમદાવાદ શહેરના વિકાસ સાથે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ સમસ્યાને પહોંચી વળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે. હવે શહેરની તમામ મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ખાદ્ય પદાર્થોના પ્રાથમિક ટેસ્ટિંગ માટેની કિટ ફરજિયાત રાખવી પડશે. આનાથી ગ્રાહકોને કોઈપણ અખાદ્ય કે ભેળસેળયુક્ત પદાર્થ અંગે શંકા જાય તો તેઓ જાતે જ કિટ દ્વારા ચકાસણી કરી શકશે અને જરૂર જણાય તો AMC તંત્રને ફરિયાદ પણ કરી શકશે.